________________
૩૯ यः शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु । जज्ञे 'ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपकः ॥ ११ ॥ ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः । त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुः ॥ १२ ॥ शुभसारसत्त्वसंहनन-वीर्यमाहात्म्यरूपगुणयुक्तः । जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥ १३ ॥ स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्वः । अभिनन्दितशुभसत्त्वः, सेन्द्रैलॊकान्तिकैर्देवैः ॥ १४ ॥ जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान्' प्रवव्राज ॥ १५ ॥
(૧૧) પૂર્વકાળમાં અનેક ભવોમાં શુભક્રિયાના અભ્યાસથી આત્માને (શુભ ભાવથી) ભાવિત કરનાર ભગવાન મહાવીર અંતિમ ભવમાં જ્ઞાત ઇક્વાકુવંશમાં ઉત્પન્ન થયા અને સિદ્ધાર્થ રાજાના કુળને દીપાવ્યું.
(૧૨) જેમ ચંદ્ર સદા શૈત્ય, ધૃતિ અને કાંતિ એ ત્રણ ગુણોથી યુક્ત હોય છે, તેમ ભગવાન મહાવીર જન્મ વખતે પૂર્વે (દેવભવમાં) પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતાં.
(૧૩) શુભ-હિતકર) ઉત્તમ સત્ત્વ, શ્રેષ્ઠ સંઘયણ, લોકોત્તરવીર્ય, અનુપમ માહાભ્ય, અદ્દભુત રૂપ અને દાક્ષિણ્ય આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હતા. (અહીં શુભ શબ્દ સત્ત્વ આદિ દરેક શબ્દની સાથે જોડવો.)
(૧૪) સ્વયમેવ તત્ત્વોના જ્ઞાતા હતા. પ્રાણીઓના હિત માટે તત્પર નિશ્ચલ સત્ત્વવાળા હતા. દેવેન્દ્રોએ અને લોકાંતિક દેવોએ તેઓશ્રીના શુભ સત્ત્વની પ્રશંસા કરી હતી.
(૧૫-૧૬) જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને અસાર જોઈને જ્ઞાની મહાવીર વિશાળ રાજ્યનો ત્યાગ કરી, અશુભ કર્મોનો
१. ज्ञाता नाम क्षत्रियविशेषाः, तेषामपि विशेषसंज्ञा इक्ष्वाकवः । ૨. દીક્ષા થતાં જ પ્રગટ થતા મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ અહીં ધીમાનું વિશેષણ છે.