________________
कृत्वा त्रिकरणशुद्धं तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥ २१ ॥ तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थसंग्रहं लघुग्रन्थम् ।। वक्ष्यामि शिष्यहित-मिममर्हद्वचनैकदेशस्य ॥ २२ ॥ (युग्मम्) महतोऽतिमहाविषयस्य, दुर्गमग्रन्थभाष्यपारस्य । વ: શm: પ્રત્યા, વિનવવનમહોલઃ તુમ ૨રૂ છે शिरसा गिरि बिभित्से-दुच्चिक्षिप्सेच्च स क्षितिं दोभ्या॑म् । प्रतितीर्षेच्च समुद्रं, मित्सेच्च पुनः कुशाग्रेण ॥ २४ ॥ व्योम्नीन्दुं चिक्रमिषेन्मेरुगिरिं पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगमिषे-च्चरमसमुद्रं पिपासेच्च ॥ २५ ॥ खद्योतकप्रभाभिः सो ऽभिबुभूषेच्च भास्करं मोहात् । सोऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत ॥ २६ ॥ (विशेषकम्)
(૨૧-૨૨) મોહરહિત હોવાથી મહર્ષિ અને સર્વથી અધિક પૂજનીય તે વીર ભગવાનને (-મન-વચન-કાયારૂપ) ત્રિકરણથી શુદ્ધ નમસ્કાર કરીને, શિષ્યના હિત માટે, અરિહંત વચનના એકદેશના સંગ્રહરૂપ અને વિશાળ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રંથને કહીશ.
(૨૩) જેના ગ્રંથનો અને અર્થનો પાર બહુ કષ્ટથી પામી શકાય છે, અને જેમાં અતિશય ઘણા વિષયો રહેલા છે, તે મહાન જિનવચનરૂપ મહાસમુદ્રનો સંગ્રહ કરવા કોણ સમર્થ છે? કોઈ જ નથી.
(૨૪-૨૫-૨૬) જે પુરુષ અતિશય ઘણા ગ્રંથો અને અર્થોથી પરિપૂર્ણ જિનવચનનો સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે મોહના કારણે મસ્તકથી પર્વતને ભેદવાની ઇચ્છા રાખે છે, બે હાથોથી પૃથ્વીને ખેંચવાને ઇચ્છે છે, બે ભુજાઓ વડે સમુદ્ર તરવાને ઇચ્છે છે. ડાભની અણીથી સમુદ્રને માપવાની ઇચ્છા રાખે છે, આકાશમાં ચંદ્રને ઓળંગવાની ઇચ્છા રાખે છે, હાથથી મેરુપર્વતને કંપાવવાને ઇચ્છે છે, ગતિથી પવનને જીતવાને ઇચ્છે છે, સ્વયંભૂરમણ સમુદ્રને પીવાની ઈચ્છા રાખે છે, ખદ્યોતના તેજથી સૂર્યનો પરાભવ કરવાને ઈચ્છે છે. (અહીં “મોહના કારણે એ શબ્દો દરેક વાક્ય સાથે જોડવા.)