________________
૩૬૭
અ૦ ૮ સૂ૦ ૧૨] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ તો જે કર્મના ઉદયથી જીવ શુભગતિ=ચાલ કરી શકે તે શુભવિહાયોગતિ અને અશુભગતિ=ચાલ કરી શકે તે અશભવિહાયોગતિ એ જ છે.
પ્રશ્ન- જો પિંડપ્રકૃતિમાં આવેલ ગતિનામકર્મથી આ ચાલવા રૂપ ગતિ નામકર્મને અલગ પાડવા વિહાયસ્ શબ્દ જોડવામાં આવ્યો છે તો બીજો શબ્દ ન જોડતાં વિહાયસ્ શબ્દ જ કેમ જોડ્યો ?
ઉત્તર– ગતિ=ચાલ આકાશમાં(ખાલી જગ્યામાં) થતી હોવાથી વિલાસિ તિઃ -આકાશમાં ગતિ તે વિહાયોગતિ એમ અર્થ પણ ઘટતો હોવાથી બીજો કોઈ શબ્દ ન જોડતાં વિહાયસ્ શબ્દ જોડ્યો છે.
આઠ પ્રત્યેક પ્રકૃતિઓ(૧) પરાઘાત–જેના ઉદયથી જીવઅન્યથી પરાભવન પામે, અથવા પોતાનાથી
અધિક બળવાનનો પણ પોતે પરાભવ કરી શકે, તે પરાઘાત નામકર્મ. ઉચ્છવાસ- જેના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસની ક્રિયા કરી શકે તે
ઉચ્છવાસ નામકર્મ. (૩) આતપ- જેના ઉદયથી શરીર શીત હોવા છતાં ઉષ્ણ પ્રકાશવાળું હોય
તે આતપનામકર્મ. સૂર્યના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે. એમનું શરીર શીતસ્પર્શવાળું હોય છે. પણ
એમનાં શરીરમાંથી નીકળતો પ્રકાશ ઉષ્ણ હોય છે. જે (૪) ઉદ્યોત– જેના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે
તે ઉદ્યોત નામકર્મ, ખદ્યોત(=આગિયો) વગેરે જીવોને આ કર્મનો ઉદય હોય છે. અગુરુલઘુ- જેના ઉદયથી શરીર ગુરુ(=ભારે) નહિ અને લઘુ
( હલકું) પણ નહિ, કિંતુ અગુરુલઘુ બને છે તે અગુરુલઘુ નામકર્મ. (૬) તીર્થંકર- જેના ઉદયથી જીવ ત્રિભુવનપૂજય બને અને ધર્મરૂપ તીર્થને
કરે(=પ્રવર્તાવે) તે તીર્થંકર નામકર્મ. ૧. આ વિગ્રહ તસ્વાર્થ ભાષ્યની ટીકામાં છે. કર્મગ્રંથમાં વિદાયસા પતિ =વિદાયોતિઃ એવો વિગ્રહ છે. ૨. આપણને દેખાતા સૂર્ય-ચંદ્ર દેવોને રહેવાના વિમાનો છે. તે અસંખ્ય પૃથ્વીકાય જીવોના
શરીરના સમૂહરૂપ છે. સૂર્યવિમાનના પૃથ્વીકાય જીવોને “આતા’ અને ચંદ્રવિમાનના પૃથ્વીકાય જીવોને “ઉદ્યોત' નામકર્મનો ઉદય હોય છે.