SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૮ સૂ૦૧૨ અO ] . વજરકષભ વજત્રષભનારા સંઘયણ ષભનારાય સંઘયણ જે ] ૩. નારાય સંઘયણ ] ૪. અર્ધનારાચ સંઘયણ ( ૮ ) 1. કિલિકા સંઘયણ . સેવાર્ય સંઘયણ (૮) સંસ્થાન– સંસ્થાન એટલે શરીરની બાહ્ય આકૃતિ. સંસ્થાનના છે પ્રકારો છે. સમચતુરસ, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હૂંડક. શરીરના દરેક અવયવની શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણે સમાન રચના તે સમચતુરસ સંસ્થાન. પલાંઠી વાળીને સીધા બેઠેલા મનુષ્યના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું, બે ઢીંચણ વચ્ચેનું અને પોતાના આસનથી નાસિકા સુધીનું એ ચારે અંતર સમાન હોય તેવી અંગરચના સમચતુરસ સંસ્થાન છે. ન્યગ્રોધ એટલે વડ. પરિમંડલ એટલે આકાર. જેમાં વડના જેવો શરીરનો આકાર હોય, અર્થાત જેમ વડનું વૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ હોય, જ્યારે નીચેના ભાગમાં કૃશ હોય, તેમ નાભિથી ઉપરના અવયવોની રચના સમાન( ભરાવદાર) હોય, પણ નીચેના અવયવોની રચના અસમાન( કુશ) હોય તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન. જોધપરિમંડલની રચનાથી વિપરીત રચના તે સાદિ સંસ્થાન. અર્થાત્ જેમાં નાભિથી ઉપરના અવયવોની રચના અસમાન અને નીચેના અવયવોની રચના સમાન હોય તે સાદિ સંસ્થાન. જેમાં છાતી, પેટ વગેરે અવયવો કુબડા હોય તે કુન્જ સંસ્થાન. જેમાં હાથ, પગ વગેરે અવયવો ટૂંકા હોય તે વામન સંસ્થાન. જેમાં સઘળા અવયવો અવ્યવસ્થિત(શાસ્ત્રોક્ત લક્ષણોથી રહિત) હોય તે હુંડક સંસ્થાન. જે કર્મના ઉદયથી શરીરની
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy