SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ અ૦ ૮ સૂ૦૧૨) શ્રીતત્ત્વાધિગમસૂત્ર . (૬) સંઘાત– સંઘાત એટલે પિંડરૂપે સંઘટિત કરવું. સંધાતના પાંચ ભેદો છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. જેમ દંતાળીથી ઘાસ એકઠું થાય છે (ધાસના પથારાને એકઠો કરી દબાવી નાનો ઢગલો બનાવાય છે) તેમ જે કર્મના ઉદયથી ગ્રહણ કરાતા ઔદારિક શરીરના પુગલો પિંડરૂપે સંઘટિત કરાય છે તે ઔદારિક સંઘાત નામ કર્મ. એ પ્રમાણે અન્ય સંઘાત વિષે પણ જાણી લેવું. (૭) સંહનન- સંહનન એટલે શરીરમાં હાડકાંઓની વિશિષ્ટ રચના. સંહનનને ચાલુ ભાષામાં સંઘયણ કે બાંધો કહેવામાં આવે છે. સંવનનના છ પ્રકાર છે. વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાય, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત. વજ8ષભનારા શબ્દમાં વજ, ઋષભ અને નારાચ એ ત્રણ શબ્દો છે. વજ એટલે ખીલી. ઋષભ એટલે પાટો. નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને શાસ્ત્રમાં મર્કટબંધ કહેવામાં આવે છે. બે હાડકાંઓની ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય, એ ત્રણ હાડકાંઓને ભેદીને ચોથું હાડકું ખીલીની જેમ રહેલું હોય. આવા પ્રકારનું અતિશય મજબૂત સંહનન=હાડકાંઓની રચના તે વજઋષભનારાચ સંહન. અર્થાત જેમાં નારાચ(=મર્કટબંધ), ઋષભ(=પાટો) અને વજ(=ખીલી) એ ત્રણ હોય તે વજઋષભનારાચ સંહનન. જેમાં બે હાડકાં પરસ્પર મર્કટબંધથી બંધાયેલાં હોય. એ બે હાડકાંઓની ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય, એ ત્રણની ઉપર ખીલીની જેમ ચોથું હાડકું ન હોય) એવા પ્રકારનું સંવનન ઋષભનારાજ કહેવાય. અર્થાત્ જેમાં નારા અને ઋષભ હોય, અને વજ ન હોય તે ઋષભનારા, સંહનન. જેમાં હાડકાં માત્ર મર્કટબંધથી બંધાયેલા હોય તે નારાજ સંહનન. અર્થાત જેમાં વજ અને ઋષભ ન હોય, માત્ર નારાચ જ હોય તે મારા સંતનન. જેમાં એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ કાલિકા(=ખીલી) હોય તે અર્ધનારા સંતનન. જેમાં એકેય બાજુ મર્કટબંધ ન હોય, હાડકાં માત્ર કલિકાથી બંધાયેલાં હોય તે કિલિકા સંતનન. જેમાં મર્કટબંધ ન હોય, કાલિકા પણ ન હોય, માત્ર હાડકાં પરસ્પર અડેલાં (સામાન્ય જોડાયેલાં) હોય તે સેવાર્ત સંહનન. જે કર્મના ઉદયથી વજ ઋષભનારાચ સંવનન (સંઘયણ) પ્રાપ્ત થાય તે વજઋષભનારાચ સંવનન નામ કર્મ. આ પ્રમાણે અન્ય સંહનનની પણ વ્યાખ્યા સમજી લેવી.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy