________________
૩૬૧
અ) ૮ સૂ૦ ૧૧-૧૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
આયુષ્ય કર્મના ચાર ભેદોનાર-લૈર્યથોન-માનુષ-સેવાનિ | ૮-૨ છે નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારે આયુષ્ય છે. જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તે નરક આયુષ્ય. જે કર્મના ઉદયથી તિર્યંચગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિર્યંચ આયુષ્ય. જે કર્મના ઉદયથી મનુષ્યગતિનું જીવન પ્રાપ્ત થાય તે મનુષ્ય આયુષ્ય. જે કર્મના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત થાય તે દેવ આયુષ્ય. (૧૧) નામકર્મના ભેદો
તિ-નીતિ-રી-કોપાનિ-વચન-સંભાત-સંસ્થાનસિંહન-અ---વાંf-ડનુપૂર્બાનપૂછાત-પરીયાતાऽऽतपोद्योतोच्छास-विहायोगतयः प्रत्येकशरीर-त्रस-सुभग-सुस्वर-शुभસૂક્ષ્મ-પદ્ય-સ્થિર-ય-યશાંસિ સેતર તીર્થર્વ ા ૮-૧૨ .
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-એમ કુલ ૪ર ભેદો નામકર્મના છે.'
ગતિનામકર્મથી આરંભી વિહાયોગતિ નામકર્મ સુધીની ૧૪ પ્રકૃતિઓના પેટા વિભાગો હોવાથી તેમને “પિંડપ્રકૃતિ' કહેવામાં આવે છે.
ત્યાર પછીની પરાઘાતથી આરંભી ઉપઘાત સુધીની આઠ પ્રકૃતિઓના પેટા વિભાગો ન હોવાથી તેમને પ્રત્યેક પ્રકૃતિ' કહેવામાં આવે છે. ત્યાર પછીની દશ પ્રકૃતિઓને “ત્રણ દશક' અને ત્યાર પછીની દશ પ્રકૃતિઓને “સ્થાવર દશક' કહેવામાં આવે છે.
નામકર્મના ભેદોની ૪૨, ૯૩, ૧૦૩ અને ૬૭ એમ ચાર સંખ્યા જોવા મળે છે. નામકર્મના કેવળ મૂળ ભેદોની ગણતરી કરવામાં આવે તો ૪૨ સંખ્યા ૧. આ સૂત્રમાં બતાવેલ પ્રકૃતિઓનો ક્રમ અને કર્મગ્રંથમાં બતાવેલ પ્રકૃતિઓનો ક્રમ ભિન્ન છે.
કર્મગ્રંથના અભ્યાસીઓને પ્રકૃતિઓ સમજવામાં અનુકૂળતા રહે એ દષ્ટિએ અહીં આ સૂત્રના અનુવાદમાં તથા વિવેચનમાં કર્મગ્રંથના ક્રમ પ્રમાણે પ્રકૃતિઓ લખવામાં આવી છે.