SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ અ) ૮ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર ૩૫૯ અનંતાનુબંધી માયા ઘનવાંસના મૂળિયા સમાન છે. જેમ ઘનવાસના મૂળિયાની વક્રતા દૂર થઈ શકતી નથી તેમ અનંતાનુબંધી માયા પ્રાયઃ દૂર થતી નથી. જેમ ઈન્દ્રધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. આથી અહીં માયાને ઇન્દ્રધનુષ્યની રેખા આદિની ઉપમા આપી છે. લોભ– સંજ્વલન લોભ હળદરના રંગ સમાન છે. વસ્ત્રમાં લાગેલો હળદરનો રંગ સૂર્યનો તાપ લાગવા માત્રથી શીઘ નીકળી જાય છે, તેમ સંજવલન લોભ કષ્ટ વિના શીઘ દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ લોભ દીવાની મેષ સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલી દીવાની મેષ (કાજળ) જરા કષ્ટથી દૂર થાય છે તેમ આ લોભ થોડા કષ્ટથી વિલંબે દૂર થાય છે. અપ્રત્યાખ્યાન લોભ ગાડાના પૈડાની મળી સમાન છે. વસ્ત્રમાં લાગેલી ગાડાના પૈડાની મળી જેમ ઘણા કષ્ટથી દૂર થાય છે, તેમ આ લોભ પણ ઘણા કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી લોભ કૃમિરંગ (કરમજી રંગ) સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલ કિરમજી રંગ વસ્ત્ર નાશ પામે ત્યાં સુધી રહે છે તેમ આ લોભ પ્રાયઃ જીવ મરે ત્યાં સુધી રહે છે. લોભ રાગ સ્વરૂપ છે. માટે અહીં લોભને હળદર આદિના રાગની=રંગની સાથે સરખાવેલ છે. કષાય કોષ્ટક કષાય | ગુણઘાતક | સ્થિતિ | કઈ ગતિની પ્રાપ્તિ કરાવે, | અનંતાનુબંધી | સમ્યકત્વ | માવજીવ | નરકગતિ ! અપ્રત્યાખ્યાન એક વર્ષ તિર્યંચગતિ પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિ ચાર માસ | મનુષ્યગતિ યથાખ્યાતચારિત્ર | પંદર દિવસ - દેવગતિ ક્રિોધ કોના જેવો માન કોના જેવો માયા કોના જેવી લોભ કોના જેવો અનંતાનુબંધી પર્વતની ફાડ પથ્થરનો થાંભલો | કઠણ વાંસનું મૂળ કારમજીનો રંગ અપ્રત્યાખ્યાન |પૃથ્વીની ફાડ |હાડકાંનો થાંભલો | ઘેટાનું શિગડું ગાડાની મળી પ્રત્યાખ્યાનાવરણ રેતીમાં રેખા |કાષ્ટનો થાંભલો |ગોમૂત્રધારા |કાજળ સંજ્વલન પાણીમાં રેખાનેતરની સોટી વાંસની છાલ હળદરનો રંગ ! સંજ્વલન કષાય શોધકોના ,
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy