________________
૩૫૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૮ સૂ૦ ૧૦ જેમ કે મહાત્મા વિષ્ણુકુમારનો ક્રોધ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ રેણરેખા સમાન છે. જેમ રેતીમાં પડેલી રેખાનો (પવન આદિનો યોગ થતાં) થોડા વિલંબે નાશ થાય છે, તેમ ઉદય પામેલ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ જરા વિલંબથી નાશ પામે છે. અપ્રત્યાખ્યાન ક્રોધ પૃથ્વીરેખા સમાન છે. જેમ પૃથ્વીમાં પડેલી ફાડ કષ્ટથી વિલંબે પૂરાય છે, તેમ ઉદય પામેલ અપ્રત્યાખ્યાન ક્રોધ થોડા કષ્ટથી અને અધિક કાળ દૂર થાય છે. અનંતાનુબંધી ક્રોધ પર્વત-રેખા સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાડ પૂરવી દુઃશક્ય છે તેમ અનંતાનુબંધી ક્રોધના ઉદયને દૂર કરવો એ દુ:શક્ય છે. અહીં ક્રોધને રેખાની સાથે સરખાવવામાં ઘણું રહસ્ય રહેલું છે. રેખા પડવાથી વસ્તુનો ભેદ થાય છે, ઐક્ય નાશ પામે છે. તેમ ક્રોધના ઉદયથી પણ જીવોમાં પરસ્પર ભેદ પડે છે, અને ઐક્યનો સંપનો નાશ થાય છે.
માન- સંજવલન માન નેતર સમાન છે. જેમ નેતર સહેલાઈથી વાળી શકાય છે, તેમ સંજ્વલન માનના ઉદયવાળો જીવ સ્વઆગ્રહનો ત્યાગ કરી શીધ્ર નમવા તૈયાર થાય છે. જેમ કે બ્રાહ્મી-સુંદરીના વાક્યોથી મહાત્મા બાહુબલિ. પ્રત્યાખ્યાનાવરણ માન કાષ્ઠ સમાન છે. જેમ કાષ્ઠને વાળવામાં થોડું કષ્ટ પડે છે તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયવાળો જીવ થોડો પ્રયત્ન કરવાથી નમે છે=નમ્ર બને છે. અપ્રત્યાખ્યાન માન અસ્થિસમાન છે. જેમ હાડકાને વાળવામાં ઘણું કષ્ટ પડે છે, તેમ અપ્રત્યાખ્યાન માનના ઉદયવાળો જીવ ઘણા કષ્ટથી વિલંબે નમવા તૈયાર થાય છે. અનંતાનુબંધી માન પત્થરના સ્તંભસમાન છે. જેમ પથ્થરનો થાંભલો ન નમાવી શકાય, તેમ અનંતાનુબંધી માનવાળો જીવ નમે એ દુઃશક્ય છે. જેમ નેતર વગેરે પદાર્થો અક્કડ હોય છે તેમ માનકષાયવાળો જીવ અક્કડ રહે છે. આથી અહીં માનને નેતર આદિ અક્કડ વસ્તુ સાથે સરખાવવામાં આવેલ છે.
માયા–સંજવલન માયા ઈન્દ્રધનુષ્યની રેખાસમાન છે. જેમ આકાશમાં થતી ઈન્દ્રધનુષ્યની રેખા શીધ્ર નાશ પામે છે તેમ સંજવલન માયા જલદી દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ માયા બળદ આદિના મૂત્રની ધારા સમાન છે. જેમ મૂત્રની ધારા (તાપ આદિથી) જરા વિલંબે નાશ પામે છે તેમ આ માયા થોડા વિલંબે નાશ પામે છે. અપ્રત્યાખ્યાન માયા ઘેટાના શિંગડા સમાન છે. ઘેટાના શિંગડાની વક્રતા કષ્ટથી દૂર થાય છે, તેમ આ માયા ઘણા કષ્ટથી દૂર થાય છે.