________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૯-૧૦ નિદ્રાવેદનીય આદિ પાંચ કર્યો પણ દર્શનાવરણ રૂપ હોવાથી દર્શનાવરણ કર્મના ભેદો છે, નહિ કે ત્રીજા વેદનીય કર્મના. વેદનીય શબ્દનો પ્રયોગ તો જે વેદાય=અનુભવાય તે વેદનીય એમ સામાન્ય અર્થમાં ક૨વામાં આવ્યો છે. આ સામાન્ય અર્થની દૃષ્ટિએ બધાં કર્મો વેદનીય જ છે. છતાં વેદનીયશબ્દ શાસ્ત્રમાં ત્રીજા પ્રકારના કર્મમાં રૂઢ બની ગયો છે. અહીં નિદ્રાવેદનીય વગેરેમાં વેદનીય શબ્દનો રૂઢ અર્થ નથી, કિન્તુ જે વેદાય તે વેદનીય એવો (યૌગિક) અર્થછે. એટલે તેમાં વેદનીય શબ્દનો પ્રયોગ દોષ રૂપ નથી. (૮)
વેદનીય કર્મના બે ભેદો—
સમદ્રેઘે ! ૮-૧ ॥
સઘ=સાતાવેદનીય અને અસધ=અસાતાવેદનીય એમ વેદનીય પ્રકૃતિના બે ભેદ છે.
જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખનો અનુભવ થાય તે સાતાવેદનીય. જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક દુઃખનો અનુભવ થાય તે અસાતાવેદનીય, (૯)
મોહનીય પ્રકૃતિના ભેદો—
૩૫૨
વર્શન-ચારિત્રમોહનીય-ષાય-નોષાયવેનીયા બ્રાન્નિ-દ્વિ
ષોડશ-નવમેવા:સમ્યક્ત્વ-મિથ્યાત્વ-તડુમયાનિ, ઋષાયનોષાય,મનન્તાનુવચ્છ-પ્રત્યાઘ્યાન-પ્રત્યાહ્યાનાવાળ-સંજ્વલનવિશ્વાશ્વેશ: ોધ-માન-માયા-લોમા: હાસ્યાત્યતિ-શોનમય-નુગુપ્સા: સ્ત્રી-પું-નવુંસવેવા: ॥ ૮-૨૦ ॥
મોહનીય કર્મના મુખ્ય બે ભેદો છે—(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદો છે—(૧) સમ્યક્ત્વમોહનીય (૨) મિથ્યાત્વમોહનીય (૩) મિશ્રમોહનીય. ચારિત્રમોહનીયના કષાયમોહનીય અને નોકષાયમોહનીય એમ બે ભેદો છે. કષાયમોહનીયના ચાર ભેદો છે—(૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ. ક્રોધ વગેરે દરેક કષાયનો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એમ ચાર ચાર ભેદો હોવાથી કષાયના કુલ ૧૬ ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાનાવરણ