________________
અ) ૮ સૂ) ૬-૭-૮] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૪૯ સામર્થ્યનો અનુભવ કેમ નથી થતો ? અંતરાય પ્રકૃતિથી એ શક્તિનો અભિભવ થઈ ગયો છે. આ પ્રમાણે આઠ કર્મોનો અનુક્રમે આત્માના આઠ ગુણોને દબાવીને આત્મામાં વિકૃતિ કરવાનો સ્વભાવ છે. (૫)
પ્રકૃતિબંધના ઉત્તરભેદોની સંખ્યાपञ्च-नव-द्वयष्टाविंशति-चतु-र्द्विचत्वारिंशद्-द्वि-पञ्चभेदा થામ” . ૮-૬ .
જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, અને ૫ ભેદો છે. કુલ ૯૭ ભેદો છે. (૬)
જ્ઞાનાવરણ પ્રકૃતિના પાંચ ભેદોમચાવનામ છે ૮-૭ |
મતિ આદિ પાંચ જ્ઞાનના પાંચ આવરણો જ્ઞાનાવરણના પાંચ ભેદો છે. અર્થાત્ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ જ્ઞાનાવરણના પાંચ ભેદો છે.
(૧) મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૨) શ્રુતજ્ઞાનને રોકે તે શ્રુતજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૩) અવધિજ્ઞાનને રોકે તે અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૪) મન:પર્યવજ્ઞાનને રોકે તે મન:પર્યવજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૫) કેવલજ્ઞાનને રોકે તે કેવલજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૭)
દર્શનાવરણ પ્રકૃતિના ભેદોचक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा-प्रचलाप्रचलाप्रचला-स्त्यानर्द्धिवेदनीयानि च ॥ ८-८ ॥
ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એ ચાર દર્શનના ચાર આવરણો, તથા નિદ્રાવેદનીય, નિદ્રાનિદ્રાવેદનીય, પ્રચલાવેદનીય, પ્રચલાપ્રચલાવેદનીય અને સ્યાનટ્વિવેદનીય એ પાંચ વેદનીય એમ દર્શનાવરણ પ્રકૃતિના નવ ભેદો છે.
(૧) જેનાથી ચક્ષુ દ્વારા રૂપનું (સામાન્ય જ્ઞાન ન કરી શકાય તે ચક્ષદર્શનાવરણ. (૨) અચલ શબ્દથી ચક્ષુ સિવાય ચાર ઇન્દ્રિયો અને મન
૧. આ આઠ પ્રકતિઓનાં નામ સાર્થક છે તેમના કાર્ય(ફળ) પ્રમાણે છે. આ હકીકતનો નિર્દેશ
ગ્રંથકાર સ્વયં આ અધ્યાયના ૨૩મા સૂત્રમાં કરશે. ૨. મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનનું સ્વરૂપ પ્રથમ અધ્યાયના નવમા સૂત્રથી વિસ્તારથી બતાવવામાં
આવ્યું છે.