SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦ ૭ સૂ૦ ૩૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર ૩૩૫ પાલન કે મોક્ષમાર્ગની આરાધના એ આ લોક સંબંધી આનુષંગિક પર-ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વગદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક પર-ઉપકાર છે. ઉપકાર આનુષંગિક પ્રધાન આનુષંગિક (કર્મ નિર્જરાથી મુક્તિ) આ લોક સંબંધી પરલોક સંબંધી આ લોક સંબંધી (સંતોષ, વૈભવ વગેરે) (વિશિષ્ટ સ્વગદિ સુખ) (મોક્ષમાર્ગની આરાધના વગેરે) દાનની ક્રિયા સમાન છતાં ફળમાં તફાવતવિધિ-દ્રવ્ય-ત-પરવિણપત્ર તષિ : ૭-૩૪ વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત્ ફળમાં) તફાવત પડે છે. (દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા (eતફાવત) આવે છે. (૧) વિધિ- દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે. (૨)દ્રવ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઇએ. (૩) દાતા- દાતા પ્રસન્નચિત્ત, આદર, હર્ષ, શુભાશય એ ચાર ગુણોથી યુક્ત અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિદાન એ ચાર દોષોથી રહિત હોવો જોઇએ. (૧) પ્રસન્નચિત્ત-સાધુ આદિ પોતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. ૧. દેશ-કાળ આદિની સમજૂતી માટે જુઓ આ જ અધ્યાયના ૧૬મા સૂત્રમાં અતિથિસંવિભાગ વ્રતનું વર્ણન. ૨. જાતે જ પોતાના હાથે સહર્ષ દાન કરવું એ પણ વિધિ છે. આદિ વગેરે) શબ્દથી આ વિધિનો નિર્દેશ કર્યો છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy