________________
અ૦ ૭ સૂ૦ ૩૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૩૫ પાલન કે મોક્ષમાર્ગની આરાધના એ આ લોક સંબંધી આનુષંગિક પર-ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વગદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક પર-ઉપકાર છે.
ઉપકાર
આનુષંગિક
પ્રધાન
આનુષંગિક (કર્મ નિર્જરાથી મુક્તિ) આ લોક સંબંધી પરલોક સંબંધી આ લોક સંબંધી (સંતોષ, વૈભવ વગેરે) (વિશિષ્ટ સ્વગદિ સુખ) (મોક્ષમાર્ગની
આરાધના વગેરે) દાનની ક્રિયા સમાન છતાં ફળમાં તફાવતવિધિ-દ્રવ્ય-ત-પરવિણપત્ર તષિ : ૭-૩૪
વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત્ ફળમાં) તફાવત પડે છે. (દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા (eતફાવત) આવે છે.
(૧) વિધિ- દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે.
(૨)દ્રવ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઇએ.
(૩) દાતા- દાતા પ્રસન્નચિત્ત, આદર, હર્ષ, શુભાશય એ ચાર ગુણોથી યુક્ત અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિદાન એ ચાર દોષોથી રહિત હોવો જોઇએ.
(૧) પ્રસન્નચિત્ત-સાધુ આદિ પોતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. ૧. દેશ-કાળ આદિની સમજૂતી માટે જુઓ આ જ અધ્યાયના ૧૬મા સૂત્રમાં અતિથિસંવિભાગ
વ્રતનું વર્ણન. ૨. જાતે જ પોતાના હાથે સહર્ષ દાન કરવું એ પણ વિધિ છે. આદિ વગેરે) શબ્દથી આ વિધિનો
નિર્દેશ કર્યો છે.