SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦૭ સૂ૦ ૨૮ મન, વચન અને કાયા એ ત્રણ યોગોનું દુષ્મણિધાન, અનાદર અને ઋત્યનુપસ્થાન એ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે. (૧) મનોયોગ દુપ્પણિધાન– નિરર્થક કે પાપના વિચારો કરવા.' (૨) વચનયોગ દુષ્મણિધાન નિરર્થક કે પાપનાં વચનો બોલવાં. (૩) કાયયોગ દુપ્પણિધાન– નિરર્થક કે પાપની પ્રવૃત્તિ કરવી. ૧. આ અતિચારથી બચવા સામાયિકમાં મનના દશ દોષોનો ત્યાગ કરવો. દશ દોષો આ પ્રમાણે છે–(૧) અવિવેક સામાયિકના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાથી આવી ક્રિયાથી શું ફળ મળે ? ઇત્યાદિ સામાયિકના ફળ સંબંધી કુવિકલ્પો કરવા. (૨) યશોવાંછાબીજાઓ પોતાની પ્રશંસા કરશે એવી ઇચ્છાથી સામાયિક કરવું. (૩) ધનવાંછા- ધનની (પ્રભાવના વગેરેની) ઇચ્છાથી સામાયિક કરવું. (૪) ગર્વ– સામાયિક કરીને ધર્મી તરીકેનો અહંકાર કરવો. (૫) ભય– જો હું સામાયિક નહિ કરું તો અમુક તરફથી ઠપકો મળશે કે અમુક મારી નિંદા કરશે, હું હલકો દેખાઈશ વગેરે ભયથી સામાયિક કરવું. (૬) નિદાન- સામાયિકના ફળ રૂપે આ લોક અને પરલોકના સુખની ઈચ્છા રાખવી. (૭) સંશય- સામાયિકનું ફળ મળશે કે નહિ એમ સામાયિકના ફળ વિશે સંશય રાખવો. (૮) કષાય- ક્રોધથી આવેશમાં આવીને સામાયિક કરવું કે સામાયિકમાં ક્રોધ કરવો. (૯) અવિનય– વિનય રહિત સામાયિક કરવું. (૧૦) અબહુમાન– બહુમાન વિના કે ઉત્સાહ વિના સામાયિક કરવું. ૨. આ અતિચારથી બચવા સામાયિકમાં વચનના દશ દોષોનો ત્યાગ કરવો જોઇએ. દશ દોષો નીચે મુજબ છે-(૧) કુવચન- કોઇનું અપમાન આદિ થાય તેવાં કુવચનો બોલવાં. (૨) સહસાકાર- સહસા અયોગ્ય વચનો બોલવાં. (૩) અસદારોપણ વિચાર કર્યા વિના કોઈના ઉપર ખોટો આરોપ મૂકવો (૪) નિરપેક્ષ– શાસ્ત્રની દરકાર કર્યા વિના વચનો બોલવાં. (૫) સંક્ષેપ– સૂત્રો ટૂંકાવીને બોલવાં. (૬) ક્લેશઅન્યની સાથે ક્લેશ-કંકાશ કરવો. (૭) વિકથા– સ્ત્રીકથા આદિ વિકથા કરવી. (૮) હાસ્ય- ઠઠ્ઠા મશ્કરી કરવી, હસવું. (૯) અશુદ્ધ સૂત્રો અશુદ્ધ બોલવાં. (૧૦) ગુણગુણ- પોતે અને બીજા ન સમજી શકે તે રીતે સૂત્રનો અસ્પષ્ટ ઉચ્ચાર કરવો વગેરે. ૩. આ અતિચારથી બચવા સામાયિકમાં કાયાના ૧૨ દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧૨ દોષો આ પ્રમાણે છે–(૧)આસન-પગ ઉપર પગ ચઢાવીને બેસવું.(૨)ચલાસન-સ્થિરનબેસવું વારંવાર નિપ્રયોજન આસનથી ઊઠવું. (૩) ચલદષ્ટિ– કાયોત્સર્ગ વગેરેમાં આંખો આમ તેમ ફેરવવી. (૪) સાવઘકિયા–સ્વયં સાવદ્ય (=પાપની) ક્રિયા કરવી કે અન્યને આજ્ઞા આદિથી પાપ ક્રિયા કરવા કહેવું. (૫) આલંબન–ભીંત, થાંભલો વગેરેનું ઓઠિંગણ લઇને બેસવું. (૨) આકુંચનપ્રસારણ– હાથ-પગ વગેરે અવયવો પહોળા કરવા અને સંકોચવા. (૭) આળસ-અંગ મરડવું, બગાસા ખાવા વગેરે આળસ કરવી. (૮) મોટન– આંગળીના ટચાકા ફોડવા. (૯) મલશરીરનો મેલ કાઢવો. (૧૦) વિમાસણ– જાણે કોઇ ચિંતા હોય તેમ ગાલ વગેરે ઉપર હાથ રાખી બેસવું વગેરે. (૧૧) નિદ્રા-ઝોકાં ખાવાં, ઊંઘી જવું વગેરે. (૧૨) વસંકોચન- ટાઢ આદિના કારણે વસથી શરીર સંકોચવું-ઢાંકવું.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy