________________
અ૦ ૭ સૂ૦ ૨૮] શ્રીસ્વાધિગમસૂત્ર
૩૨૯ (૧) કંદર્પ– રાગ સહિત, હાસ્યપૂર્વક, કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવાં. જેનાથી મોહ (તે તે ઇન્દ્રિયના વિષયોપભોગની ઇચ્છા) પ્રગટે તેવું વચન નહિ બોલવું જોઈએ. શ્રાવકને પેટ ભરીને ખડખડાટ જોરથી હસવું પણ વ્યાજબી નથી.
(૨) કૌસ્તુ- રાગસહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી. કંદર્પમાં હાસ્ય અને વચનનો પ્રયોગ હોય છે. જ્યારે કૌસ્તુમાં હાસ્ય અને વચનના પ્રયોગની સાથે કાયિક પ્રયોગ પણ હોય છે. આથી કંદર્પમાં કાયિક તેવી ચેષ્ટા હોય ત્યારે તે કૌત્કચ્ય કહેવાય છે.
(૩) મૌખર્ય- અસંબદ્ધ બહુ બોલબોલ કરવું.
(૪) અસમીક્ષ્યાધિકરણ – અસમીક્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. મારે જરૂર છે કે નહિ ઈત્યાદિ વિચાર કર્યા વિના પોતાને જરૂર ન હોવા છતાં શસ્ત્ર આદિ અધિકરણો (=પાપનાં સાધનો) તૈયાર રાખવાં. (જેથી કોઈ માગવા આવે તો આપવા પડે એટલે નિરર્થક પાપ બંધાય.)
(૫) ઉપભોગાધિકત્વ- પોતાને જરૂરિયાત હોય તેનાથી અધિક વસ્તુ પોતાની પાસે રાખવી. દા.ત. તળાવ વગેરે સ્થળે સ્નાન કરવા જાય ત્યારે સાબુ વગેરે વસ્તુ પોતાને જરૂરિયાત પૂરતી જ લઈ જવી જોઈએ. અન્યથા વધારે જોઇને તેવા મશ્કરા લોકો કે અન્ય સ્વાર્થી વગેરે પોતાને જરૂર ન હોવા છતાં તેનો ઉપયોગ કરે એથી નિરર્થક પાપ બંધાય.
અહીં કંદર્પ આદિ સહસા કે અનાભોગ આદિથી થઈ જાય તો અતિચાર રૂપ છે. પણ જો ઇરાદાપૂર્વક કરે તો વ્રતભંગ થાય. પ્રથમના ત્રણ અતિચારો પ્રમાદાચરણ રૂપ અનર્થદંડના છે. ચોથો અને પાંચમો અતિચાર અનુક્રમે પાપકર્મોપદેશ અને હિંસક પ્રદાન રૂપ અનર્થદંડનો છે. ઉપયોગના અભાવે કે સહસાત્કાર વગેરેના કારણે દુર્બાન કરવું એ અપધ્યાન રૂપ અનર્થદંડનો અતિચાર છે. આ અતિચાર અહીં કહ્યો નથી. જાતે સમજી લેવો. (૨૭)
નવમા વ્રતના અતિચારોयोगदुष्प्रणिधाना-ऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥७-२८ ॥
૧. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં “કોકુ' એવું નામ છે. ૨. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં “સંયુક્તાધિકરણ' એવું નામ છે.