________________
અ૦૭ સૂ૦ ૨૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૨૭ અતિચાર લાગે. કારણ કે કોઈપણ નિયમનું બરોબર પાલન નિયમને યાદ રાખવાથી થાય છે. એટલે નિયમને ભૂલી જવું એ અતિચાર છે. ૨
પ્રશ્ન- જો નિયમને ભૂલી જવું એ અતિચાર છે તો મૃત્યર્ધાન અતિચાર સર્વ વ્રતોને લાગુ પડે છે. તો પછી એની સર્વ વ્રતોમાં ગણતરી ન કરતાં અહીં જ કેમ કરી ?
ઉત્તર- દરેક વ્રતના પાંચ અતિચાર ગણાવવાના હોવાથી પાંચની સંખ્યા પૂરી કરવા અહીં તેની ગણતરી કરવામાં આવી છે. બાકી આ અતિચાર સર્વવ્રતો માટે છે. (૨૫)
સાતમા વ્રતના અતિચારોआनयन-प्रेष्यप्रयोग-शब्द-रूपानुपात-पुद्गलक्षेपाः ॥७-२६ ॥
આનયન, પ્રેધ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ દેશવિરતિ (દેશાવગાણિક) વ્રતના અતિચારો છે.
(૧) આનયન- ધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલ વસ્તુને (કાગળ, ચિઠ્ઠી, તાર, ટેલિફોન, ફેક્સ આદિ દ્વારા) અન્ય પાસેથી મંગાવવી. આ અતિચારને આનયનપ્રયોગ પણ કહેવાય છે.
(૨) પ્રેધ્યપ્રયોગ-ધારેલ પ્રમાણથી અધિક દેશમાં કોઈ વસ્તુ મોકલવાની હોય યા અન્ય કોઈ કાર્ય કરવું હોય તો નોકર આદિને મોકલીને કરાવે.
આનયન (પ્રયોગો અને પ્રખ્યપ્રયોગમાં ફેર–આનયનમાં ધારેલ પ્રમાણથી અધિક દેશમાથી વસ્તુને પોતાની પાસે મંગાવવાની હોય છે. જ્યારે પ્રખ્યપ્રયોગમાં ધારેલ દેશથી અધિક દેશમાં સમાચાર વગેરે કે કોઈ વસ્તુ મોકલવાની હોય છે. બીજું, આનયનમાં વસ્તુ મંગાવવા નોકર આદિ કોઇને મોકલતો નથી, આવનારની પાસેથી મંગાવી લે છે. જ્યારે શ્રેષ્ઠ પ્રયોગમાં ખાસ નોકર આદિને ત્યાં મોકલે છે. ૧. કવિમૂિર્ત ઘનુષ્યનમ્ - નિયમની સ્મૃતિ નિયમપાલનનું મૂળ છે. પ્રસ્તુતસૂત્રની
શ્રી સિદ્ધસેન ગણિની ટીક). ૨. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં મૃત્યન્તર્ધાન અતિચારનો અર્થ આ પ્રમાણે છે–૫૦ યોજના
ધાય છે કે ૧૦૦ યોજન? આવા સંશયમાં ૫૦ યોજનથી દૂર ન જવું જોઈએ. જો ૫૦ યોજનથી આગળ જાય તો અતિચાર લાગે. 3. अयं चातिचारः सर्ववतसाधारणोऽपि पञ्चसंख्यापूरणार्थमत्रोपात्तः । (શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકા)