________________
૩૨૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૨૪ ધાતુઓ, ઈન્દ્રમણિ વગેરે કિંમતી પથ્થરની જાત અને રોકડ નાણું વગેરે સમજી લેવું. લોભવશ બનીને પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ચાંદીસુવર્ણ આદિ તથા રોકડ નાણું રાખવું તે 'હિરણ્ય-સુવર્ણપ્રમાણતિક્રમ છે.
(૩) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ– ગાય વગેરે ચારપગાં પ્રાણી ધન છે. ચોખા, ઘઉં વગેરે ધાન્ય છે. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ધનધાન્યનો સ્વીકાર કરવો એ ધન-ધાન્યપ્રમાણાતિક્રમ છે.
(૪) દાસી-દાસપ્રમાણાતિક્રમ- અહીં દાસી-દાસ પદથી બેપનાં (નેકર, ચાકર વગેરે મનુષ્યો અને મયૂર આદિ પક્ષીઓ) પ્રાણી સમજવાં. ધારેલ પ્રમાણમાં અધિક નોકર આદિનો કે મયુર-પોપટ આદિ પક્ષીઓનો સંગ્રહ કરવો તે દાસી-દાસપ્રમાણાતિક્રમ છે.
(૫) કુખ્ય પ્રમાણાતિક્રમ- અલ્પકિંમતવાળી લોઢું વગેરે ધાતુઓ, ઘરના ઉપયોગમાં આવતી વસ્તુઓ (રાચરચીલું વગેરે), કાઇ, ઘાસ વગેરેનો કુષ્યમાં સમાવેશ થાય છે. ધારેલ પ્રમાણથી અધિક કુષ્યનો સંગ્રહ કરવો એ કુખ્ય પ્રમાણાતિક્રમ છે.
અહીં ક્ષેત્ર-વાસ્તુ આદિ પાંચમાં પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુ આદિનો સ્વીકાર કરવાથી સાક્ષાત્ રીતે તો વ્રતનો ભંગ જ થાય છે. પણ એ પાંચમાં અનુક્રમે યોજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી હૃદયમાં વ્રતરક્ષાના પરિણામ હોવાથી (વ્રત ભંગ ન થવાથી) એ પાંચે અતિચાર રૂપ છે. તે આ પ્રમાણે–
૧. કેટલાક ગ્રંથોમાં હિરણ્ય એટલે ઘડેલું સોનું અને સુવર્ણ એટલે વગર ઘડેલું સોનું એવો અર્થ
આવે છે. કેટલાક ગ્રંથોમાં આનાથી વિપરીત અર્થ, એટલે કે હિરણ્ય એટલે ઘડ્યા વિનાનું
સોનું અને સુવર્ણ એટલે ઘડેલું સોનું એવો અર્થ પણ છે. ૨. કેટલાક ગ્રંથોમાં ધન શબ્દથી ગણિમ (ગણી શકાય તે સોપારી વગેરે), ધરિમ (કાંટાથી
તોલીને લઈ-આપી શકાય તે ગોળ વગેરે), મેય (માપીને આપી લઇ શકાય તે ઘઉં વગેરે), પરિઘ (પરીક્ષા કરીને લેવા-દેવામાં આવે તે રત્ન વગેરે) એ ચાર પ્રકારનું ધનનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તથા ગાય વગેરે ચારપગાં પ્રાણીઓનો દાસી-દાસ પ્રમાણાતિક્રમમાં દાસી-દાસ પદથી સંગ્રહ કરવામાં આવ્યો છે. ૩. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં અહીં ક્રિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અતિચાર છે. તેમાં સર્વ
પ્રકારના મનુષ્ય-તિર્યંચોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તથા ત્રીજા અતિચારમાં ધનશબ્દથી ગણિમ આદિ ચાર પ્રકારના ધનનો સંગ્રહ કરવામાં આવ્યો છે.