________________
અ૦૭ સૂ૦ ૨૩] શ્રીસ્વાધિગમસૂત્ર
૩૨૧ છું. ઈત્યાદિ બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી તથા લોકમાં ચોર છે એમ કહેવાતું નહિ હોવાથી (આંશિક વ્રતભંગ હોવાથી) વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે.
(૪) હીનાધિકમાનોન્માન- છૂપી રીતે ખોટાં નાનાં મોટાં માપ-તોલાં રાખી મૂકે. જ્યારે વસ્તુ ખરીદવાની હોય ત્યારે મોટા માપ-તોલાનો ઉપયોગ કરે અને વેચવાની હોય ત્યારે નાના માપ-તોલાનો ઉપયોગ કરે.
(૫) પ્રતિરૂપક વ્યવહાર- સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી. બનાવટી વસ્તુ પેદા કરી અસલરૂપે વેચવી.
યદ્યપિ હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ બે કાયમાં ઠગબાજીથી પરધન લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં ખાતર પાડવું એ જ ચોરી છે, આ તો વણિકકળા છે, એવી કલ્પનાથી આંશિક વ્રતભંગ થવાથી (એની દૃષ્ટિએ ચોરી નથી. પણ શાસ્ત્રદષ્ટિએ ચોરી છે.) આ બંને અતિચાર ગણાય છે. (૨૨).
ચોથા વ્રતના અતિચારોपरविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमना-ऽनङ्गक्रीडा તીવ્રામમિનિવેશ: R ૭-૨રૂ છે
પરવિવાહકરણ, ઇત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય (સ્થૂલ મૈથુન વિરમણ) વ્રતના અતિચારો છે.
(૧) પરવિવાહકરણ– કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહ વગેરેથી આગળ પડતો ભાગ લઈ અન્યનાં સંતાનોના વિવાહ કરવા. અહીં પરદારાની સાથે મૈથુન નહિ કરું અને નહિ કરાવું એવો નિયમ છે. વિવાહ કરાવવામાં પરમાર્થથી મૈથુન કરાવ્યું ગણાય. એટલે પરમાર્થથી વ્રતભંગ છે. પણ હું વિવાહ કરાવું છું, મૈથુન નથી કરાવતો, એવા માનસિક પરિણામની દૃષ્ટિએ પોતે વ્રત સાપેક્ષ છે. આમ આંશિક (અપેક્ષાએ) વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી આ અતિચાર છે.
જેમ પરનાં સંતાનોના વિવાહથી અતિચાર લાગે છે તેમ પોતાનાં સંતાનોના વિવાહથી પણ અતિચાર લાગે. પણ જો પોતાનાં સંતાનોનો વિવાહ ન કરે તો સંતાનો સ્વેચ્છાચારી બને. તેમ થતાં શાસનની હીલના