________________
૩૨૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૨
જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં જેના સંબંધી હોય તેને કે અન્યને પણ કહેવાની હોય છે. સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાનમાં આ ત્રણ દૃષ્ટિએ ભેદ છે એમ મને લાગે છે છતાં આ વિષયમાં અનુભવીની પાસે વિશેષ જાણવાની જરૂર છે. (૨૧)
ત્રીજા વ્રતના અતિચારો—
स्तेनप्रयोग - तदाहृतादान- विरुद्धराज्यातिक्रम
દીનાથિ-માનોન્માન-પ્રતિરૂપવ્યવહારૉઃ || ૭-૨૨ ॥ સ્ટેનપ્રયોગ, તદાહતાદાન, વિરુદ્ધરાજ્યાતિક્રમ, હીનાધિકમાનોન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ અસ્તેય (સ્થૂલ અદત્તાદાન વિરમણ) વ્રતના અતિચારો છે.
(૧) સ્પેન પ્રયોગ– સ્કેન એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા–ઉત્તેજન. ચો૨ને ચોરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્ટેનપ્રયોગ. ચોરની સાથે લેવડદેવડનો વ્યવહાર રાખવો, ચોરી કર્યા બાદ તેની પ્રશંસા કરવી, ચોરી માટે જોઇતાં ઉપકરણો આપવાં, રહેવા આશ્રય આપવો, અન્ન-પાણી આપવાં વગેરે રીતે ચોરને ચોરી કરવાનું ઉત્તેજન આપવું તે અતિચાર છે.
(૨) તદાહૃતાદાન– ચોરે ચોરી લાવેલી વસ્તુ મફત કે વેચાતી લેવી. સ્ટેનપ્રયોગ અને તદાહતાદાનમાં પોતે ચોરી કરતો નથી, પણ ચોરીમાં ઉત્તેજન આપતો હોવાથી પરમાર્થ દૃષ્ટિએ આંશિક વ્રતભંગ થવાથી આ અતિચાર છે.૧
(૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ રાજ્યનો નિષેધ છતાં છૂપી રીતે અન્ય રાજયમાં પ્રવેશ કરવો, દાણચોરી કરવી, જકાતની ચોરી કરવી વગેરે રાજ્ય વિરુદ્ધ કાર્યોનો આમાં સમાવેશ થાય છે. અહીં રાજ્યવિરુદ્ધ કર્મ કરનારને ચોરીનો દંડ થતો હોવાથી અદત્તાદાનવ્રતનો ભંગ છે. પણ હું તો વેપાર કરું
૧. ચૌરશ્નોરાપો મન્ત્રી મેવા: વાળથી
अन्नदः स्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः ॥
ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરીના માલને ખરીદનાર, ચોરને અન્નપાણી આપનાર, ચોરને આશ્રય આપનાર-એમ ચોરના સાત પ્રકારો છે.