________________
૩૧૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૧૯-૨૦
જીવો તેમના ગુણોથી આકર્ષાઇને સમ્યગ્દર્શન ગુણ ગુમાવી દે એ સુસંભવિત છે. આથી અન્યદૃષ્ટિની પ્રશંસા અતિચાર છે.
(૫) અન્યદૃષ્ટિ સંસ્તવ– સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શનવાળા લોકોની સાથે રહેવું, પરિચય રાખવો. તેમની સાથે અતિ પરિચય રાખવાથી તેમના દર્શનની ક્રિયાઓને કે સિદ્ધાંતોને જોવાથી કે સાંભળવાથી, સમ્યક્ત્વથી પતિત થવાનો સંભવ છે.
સમ્યક્ત્વવ્રતના આ અતિચારો સાધુ અને શ્રાવક બંનેને લાગુ પડે છે. આમાં પ્રથમના ત્રણ અતિચારો ગુપ્ત (બીજા ન જોઇ શકે તેવા) છે, અને છેલ્લા બે અતિચારો પ્રગટ છે, બીજાઓ જોઇ શકે તેવા છે. (૧૮) ૧૨ વ્રતોમાં પ્રત્યેક વ્રતના અતિચારોની સંખ્યા– વ્રત-શીતેષુ પશ્ચ પશ્ચ યથામમ્ ॥ ૭-૨૧ ॥
પાંચ અણુવ્રત અને સાત શીલવ્રત(૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત)માં દરેકના પાંચ પાંચ અતિચારો ક્રમશઃ નીચે મુજબ છે. (૧૯)
પ્રથમ વ્રતના અતિચારો—
વન્ય-વધ-વિવા-તમારાોપળા-ન્નપાનનિોથાઃ।।૭-૨૦ ॥ બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને અન્નપાનનિરોધ એ પાંચ અહિંસા (સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ) વ્રતના અતિચારો છે.
(૧) બંધ– ક્રોધથી બળદ આદિ પશુઓને કે અવિનીત સ્વપુત્ર આદિને અત્યંત મજબૂતાઇથી બાંધવા. શ્રાવકે નિષ્કારણ કોઇ પણ પ્રાણીને બાંધવો હિ જોઇએ. કારણવશાત્ પશુઓને કે અવિનીત સ્વપુત્ર આદિને બાંધવાની જરૂર પડે તો પણ નિર્દયતાથી મજબૂત તો નહિ જ બાંધવા.
(૨) વધ– વધુ એટલે માર. શ્રાવકે નિષ્કારણ કોઇને પણ મારવું નહિ જોઇએ. શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઇએ. જેથી પોતાનો દાબ રહેવાથી કોઇ અવિનય આદિ ગુનો કરે નહિ. છતાં જો કોઇ અવિનયાદિ ગુનો કરે કે પશુ વગેરે યોગ્ય રીતે ન વર્તે એથી મારવાની જરૂરિયાત લાગે તો પણ ગુસ્સે થઇને
૧. જેમની બુદ્ધિ અપરિપક્વ હોય તેવાઓ અન્યના પરિચયથી ભોળવાઇ જાય એ સહજ છે. આથી તો સ્વદર્શનમાં=જૈનદર્શનમાં રહેલા પાસસ્થા આદિ કુસાધુઓની સાથે પણ એક રાત પણ રહેવાનો નિષેધ છે.