________________
અ૦૭ સૂ૦૧૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૧૧ સાત વ્રતોનાં ક્રમમાં અને નામમાં ફેરફાર– અહીં સાત વ્રતોનો જે ક્રમ છે, તેનાથી આગમમાં જુદો ક્રમ છે. આગમમાં દિગ્વિરતિ, ઉપભોગપરિભોગપરિમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશવિરતિ(-દેશાવગાસિક), પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ક્રમથી સાત વ્રતો બતાવ્યાં છે. દેશવિરતિ, ઉપભોગ પરિભોગપરિમાણ અને પૌષધોપવાસ એ ત્રણનાં આગમ ગ્રંથોમાં અનુક્રમે દેશાવગાસિક, ભોગોપભોગપરિમાણ અને પૌષધ એ ત્રણ નામો છે. (૧૬)
સંલેખનાનું વિધાન– મારVાતિ સંજોgનાં ગોપિતા ૭-૨૭ છે. વ્રતી (ગૃહસ્થ કે સાધુ) મરણને અંતે સંખના કરે છે.
સંખના એટલે શરીર અને કષાયોને પાતળા કરનાર તપવિશેષ. દુષ્કાળ, શરીરનિર્બળતા, રોગ, ઉપસર્ગ આદિના કારણે ધર્મનું પાલન ન થઈ શકે તેમ હોય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે વ્રતીએ ઉણોદરી, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ વડે કાયા અને કષાયોને પાતળા કરીને (શ્રાવક હોય તો મહાવ્રતોનો સ્વીકાર કરવા પૂર્વક) જીવન પર્યંત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. આ વખતે જીવનના અંતિમ સમય સુધી મનમાં મૈત્રી આદિ અને અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઈએ. સ્વીકારેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરવું જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ૧. પ્રથમ ત્રણ ગુણવ્રતો આવે અને પછી શિક્ષાવ્રતો આવે એ દષ્ટિએ આગમમાં આ ક્રમ રાખવામાં આવ્યો હોય એમ લાગે છે. પ્રસ્તુત ગ્રંથમાં દિગ્વિરતિ પછી દેશવિરતિ (દશાવગાસિક)વ્રતનું ગ્રહણ કેમ કર્યું એ વિચારતાં લાગે છે કે–આગમગ્રંથોમાં દેશાવગાસિક વ્રતમાં દિગ્વિરતિવ્રતના ઉપલક્ષણથી સર્વવ્રતોનો સંક્ષેપ કરવાનું વિધાન છે. જયારે પ્રસ્તુત ગ્રંથમાં માત્ર દિગ્વિરતિનો સંક્ષેપ કરવાનું વિધાન છે. આથી આ વ્રત દિગ્વિરતિનો સંક્ષેપ રૂપ હોઈ દિગ્વિરતિ પછી એનો ક્રમ આવે એ ઠીક ગણાય એ દષ્ટિએ દિગ્વિરતિ પછી દેશવિરતિ
(દશાવગાસિક) વ્રતનો ક્રમ રાખ્યો હોય. ૨. દેશમાં=દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણથી ઓછા દેશમાં=અવકાશમાં રહેવું તે
દેશાવકાશ. જેમાં દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણનો સંક્ષેપ કરવામાં આવે તે દેશાવગાસિક. એક વસ્તુ એકવાર ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ. જેમાં ભોગને ઉપભોગનું પરિમાણ કરવામાં આવે તે ભોગોપભોગ પરિમાણ. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આમ દેશાવગાસિક આદિ ત્રણનો શબ્દાર્થ છે. ભાવાર્થ તો પૂર્વ મુજબ જ છે. ૩. ગોવિતા=વિતા= =કરનાર.