SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦. શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૩ દેશથી હિંસાદિ પાપોથી નિવૃત્તિ એ અણુવ્રતો કેમ છે એનાં કારણો(૧) મહાવ્રતોની અપેક્ષાએ નાનાં વ્રતો હોવાથી અણુ-નાના વ્રતો તે અણુવ્રતો. (૨) ગુણોની અપેક્ષાએ સાધુઓથી ગૃહસ્થો અણુ નાના હોવાથી અણુનાં-નાનાનાં વ્રતો તે અણુવ્રતો. (૩) ધર્મોપદેશમાં મહાવ્રતોના ઉપદેશ પછી આ વ્રતોનો ઉપદેશ આપવામાં આવતો હોવાથી અણ=પછી (મહાવ્રતોની પછી) ઉપદેશાતાં વ્રતો તે અણુવ્રતો. આગળ બતાવવામાં આવશે તે ગુણવ્રતો અને શિક્ષાવ્રતો પણ ઉક્ત ત્રણે અર્થની દષ્ટિએ અણુવ્રતો હોવા છતાં મોટા ભાગે' પ્રથમનાં પાંચ વ્રતોમાં અણુવ્રત શબ્દનો પ્રયોગ રૂઢ બની ગયો છે. એટલે પ્રાય: જ્યાં અણુવ્રત શબ્દનો પ્રયોગ આવે ત્યાં અણુવ્રત શબ્દથી પ્રથમના પાંચ વ્રતો જ સમજવાં. (૨) (મહાવ્રતોનો સ્વીકાર કર્યા બાદ તેનું નિરતિચારપણે પાલન કરવું જોઇએ. એ માટે શક્ય પ્રયત્ન પણ કરવો જોઈએ. અન્યથા મહાવ્રતોમાં અતિચાર લાગે કે ભંગ પણ થઈ જાય એ સંભવિત છે. આથી અહીં મહાવ્રતોના શુદ્ધ પાલન માટે જરૂરી ભાવનાઓનો ઉપદેશ શરૂ કરે છે.) મહાવ્રતોને સ્વીકાર્યા બાદ નિરતિચારપણે પાલન કરવા માટે ભાવનાઓ तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ॥ ७-३ ॥ મહાવ્રતોની સ્થિરતા માટે (=નિરતિચાર પાલન કરવા માટે) દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. (૧) પ્રથમ મહાવ્રતની ભાવનાઓ (૧) ઇર્યાસમિતિ– લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે જીવરક્ષા માટે યુગ પ્રમાણ દષ્ટિ રાખીને ચાલવું. ૧. અહીં મોટા ભાગે કહેવાનું કારણ એ છે કે આગળ લાવતોડનારી' એ સૂત્રમાં જેને અણુવ્રત હોય તેને અમારી વતી કહેવાય એમ કહેવામાં આવ્યું છે. ત્યાં અણુવ્રત શબ્દથી કેવળ પાંચ વ્રતો નહિ, કિન્તુ બારે વ્રતો લેવાં જોઈએ. નહિ તો જેને પ્રથમનાં પાંચ સિવાયનાં એક બે વગેરે વતો હોય તેને ઉક્ત વ્યાખ્યા લાગુ પડી શકે નહિ. ૨. યુગ એટલે ગાડામાં જોડેલા બળદના અંધ ઉપર રહેલી ધોંસરી. એ લગભગ ૩ કે ૪ હાથની હોય છે. પુનાગ્રં-વતુરંતમાાં શટર્તિ ચિતમ્ (આચા.શ્રુ.૨ અ.૧ ઉ.૧ સૂત્ર-૧૫૫)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy