________________
૨૬૮
શ્રીતવાથિિધગમસૂત્ર [અ) ૬ સૂ૦ ૨૬ (૩) સગુણાચ્છાદન– સ્વોત્કર્ષથી બચવા પોતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા.
(૪) અસગુણોભાવન– પોતાના દુર્ગુણોને પ્રગટ કરવા.
યદ્યપિ અહીં સ્વનિંદા અને અસદ્દગુણોદ્ભાવનનો અર્થ સમાન છે. છતાં સ્વનિંદાનો પોતાની લઘુતા બતાવવા વિદ્યમાન કે અવિદ્યમાન પોતાના દોષોને પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે અને અસગુણોદ્દભાવનનો વિદ્યમાન દુર્ગુણોને પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે તો બંનેના અર્થમાં કંઈક ફેર પડે. અથવા આત્મનિંદા એટલે પોતાનામાં કેવળ દોષો જોવા, પ્રગટ ન કરવા; અને અસગુણોભાવન એટલે પોતાના દુર્ગુણોત્રદોષો બહાર પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે તો એ બંનેના અર્થમાં ભેદ પડે.
અથવા સદ્ગુણ-આચ્છાદનનો વિપરીત અર્થ સદ્ગણોદ્ભાવન અને અસદ્ગણઉભાવનનો વિપરીત અર્થ અસદ્ગણાચ્છાદન પણ થઈ શકે. પરના ગુણોનું પ્રકાશન એ સદ્ગણોદ્ભાવન છે અને પરના દોષોને ઢાંકવા એ અસદ્ગુણાચ્છાદનછે આ અર્થમાં પરપ્રશંસા અને સગુણ ઉભાવનનો અર્થ સમાન છે.
આથી સદ્ગુણ-આચ્છાદનનો વિપરીત અર્થ સ્વસદ્ગુણાચ્છાદન પોતાના ગુણોને ઢાંકવા એવો, અને અસગુણ-ઉભાવનનો વિપરીત અર્થ પર અસગુણાચ્છાદન=બીજાના દોષોને ઢાંકવા એવો કરવામાં આવે તો સ્વનિંદા આદિ ચારેના અર્થો ભિન્ન થશે.
(૫) નમ્રવૃત્તિ– ગુણી પુરુષો પ્રત્યે નમ્રતા અને વિનયપૂર્વક વર્તવું. (૬) અનુસેક– વિશિષ્ટ વ્યુત આદિની પ્રાપ્તિ થવા છતાં ગર્વ ન કરવો.
તદુપરાંત જાતિ આદિનો મદ ન કરવો, પરની અવજ્ઞા ન કરવી, મશ્કરી ન કરવી, ધાર્મિકોની પ્રશંસા કરવી વગેરે પણ ઉચ્ચ ગોત્રકર્મના આસવો છે. (૨૫)
અંતરાયકર્મના આસ્ત્રવોવિનરામનાથ | ૬-૨૬
દાન આદિમાં વિદન કરવો એ ક્રમશઃ દાનાંતરાય આદિના આસ્ત્રવો છે. ૧. જેમ સ્વોત્કર્ષથી બચવા વિદ્યમાન પણ પોતાના ગુણોને છુપાવવા એ દોષ રૂપ નથી, કિન્તુ
ગુણરૂપ છે; તેમ પોતાની લધુતા બતાવવામાં સ્વમાં અવિદ્યમાન દોષોને પણ કહેવા એ દોષરૂ૫ નથી, કિન્તુ ગુણરૂપ છે.