________________
અ) ૬ સૂ૦ ૨૪-૨૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૬૭ અનેક ગુણોથી યુક્ત તે જીવો માત્ર આવી ભાવના ભાવીને બેસી રહેતા નથી, કિન્તુ જે જે રીતે જીવોનું કલ્યાણ થાય તે તે રીતે પ્રયત્ન કરે છે. આથી તેઓ તીર્થકર નામનો નિકાચિત બંધ કરે છે. મુખ્યતયા તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ બંધાય છે અને નિકાચિત થાય છે. પણ ક્યારેક ત્રીજા ભવથી આગળના ભાવમાં પણ તીર્થકર નામકર્મ બંધાય એવું બને, પણ નિકાચિત ન થાય, નિકાચિત તો ત્રીજા ભવે જ થાય. અનિકાચિત બંધાયેલું તીર્થકર નામકર્મ જતું પણ રહે. સાવઘાચાર્યનું શુદ્ધ પ્રરૂપણાથી બંધાયેલું તીર્થકર નામ કર્મ ઉસૂત્ર પ્રરૂપણાથી જતું રહ્યું. (૨૩)
નીચ ગોત્રના આસવોपरात्मनिंदाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च નીચૈત્રય ૬-૨૪ |
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણ-આચ્છાદન, અસદ્ગુણ-ઉદ્ભાવન એ નીચગોત્રના આવો છે.
(૧) પરનિંદા- અન્યના વિદ્યમાન કે અવિદ્યમાન દોષો કુબુદ્ધિથી પ્રગટ કરવા. (૨) આત્મપ્રશંસા- સ્વના વિદ્યમાન કે અવિદ્યમાન ગુણો સ્વોત્કર્ષ સાધવા પ્રગટ કરવા. (૩) સદ્ગુણાચ્છાદન- પરના વિદ્યમાન ગુણોને ઢાંકવા, પ્રસંગવશાત્ પરના ગુણોને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષ્યા આદિથી ન લાવવા. (૪) અસગુણોભાવન– પોતાનામાં ગુણો ન હોવા છતાં સ્વોત્કર્ષ સાધવા ગુણો છે એવો દેખાવ કરવો.
તદુપરાંત– જાતિ આદિનો મદ, પરની અવજ્ઞા(તિરસ્કાર), પરની મશ્કરી, ધાર્મિકજનનો ઉપહાસ, મિથ્યા કીર્તિ મેળવવી, વડીલોનો પરાભવ કરવો વગેરે પણ નીચગોત્ર કર્મના આસવો છે. (૨૪)
ઉચ્ચ ગોત્રના આસ્ત્રવોતવિપર્યયો ની રૈવૃજ્યનુત્યે વોત્તરી છે ૬-રક
નીચગોત્રનાં કારણોથી વિપરીત કારણો, એટલે કે સ્વનિંદા, પરપ્રશંસા, સગુણાચ્છાદન અને અસગુણોદ્ભાવન, તથા નમ્રવૃત્તિ અને અનુત્યેક એ છ ઉચ્ચ ગોત્રકર્મના આઢવો છે.
(૧) સ્વનિંદા પોતાના દોષોને પ્રગટ કરવા. (૨) પરપ્રશંસા પરના ગુણોને પ્રગટ કરવા,