________________
૨૬૩
અ૦ ૬ સૂ૦ ૨૨-૨૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર કંઈ કહે એમ કહીને એક બીજાને લડાવે તો તે વિસંવાદન છે. તથા નીતિથી વર્તનારને પણ આડું અવળું સમજાવી અનીતિ કરાવવી વગેરે પણ વિસંવાદન છે. અર્થાત્ વચનયોગવતામાં પોતાની જ પ્રવૃત્તિ વિરુદ્ધ હોય છે. જ્યારે વિસંવાદનમાં પોતાની અને પરની પણ પ્રવૃત્તિ વિરુદ્ધ બને છે.
મિથ્યાદર્શન, વૈશુન્ય, અસ્થિરચિત્ત, ખોટાં માપતોલા રાખવાં, અસલી વસ્તુમાં નકલી વસ્તુનું મિશ્રણ કરવું, પરનિંદા, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, મહાઆરંભ, મહાપરિગ્રહ, કઠોરવચન, અસભ્યવચન(વ્યર્થ બોલબોલ કરવું), વશીકરણપ્રયોગ, સૌભાગ્યોપઘાત વગેરે પણ અશુભ નામકર્મના આસવો છે. (૨૧)
શુભ નામ કર્મના આસ્ત્રવો– તપિતિ શમી / ૬-૨૨ |
અશુભ નામ કર્મના આસ્ત્રવોથી વિપરીત ભાવો શુભ નામકર્મના આસ્ત્રવો છે.
મન, વચન અને કાયાની સરળતા તથા અવિસંવાદ એ ચાર શુભ નામકર્મના મુખ્ય આસવો છે. તદુપરાંત ધર્મ પ્રત્યે આદરભાવ, સંસારમય, અપ્રમાદ વગેરે પણ શુભ નામ કર્મના આસવો છે. (૨૨)
તીર્થકર નામકર્મના આસવો
दर्शनविशुद्धिविनयसंपन्नता शील-व्रतेष्वनतिचारोऽभीक्ष्णं જ્ઞાનોપયોગા-સંવેજી તિક્ષ્યા-તપસી, સંપ-સાધુ-સમાધિ-વૈયાवृत्त्यकरणमर्हदाचार्य-बहुश्रुत-प्रवचनभक्तिरावश्यकापरिहाणिसर्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥६-२३ ॥
દર્શનવિશુદ્ધિ, વિનય, શીલ-વ્રતમાં અપ્રમાદ, વારંવાર જ્ઞાનોપયોગ અને સંવેગ, યથાશક્તિ ત્યાગ અને તપ, સંઘ અને સાધુઓની સમાધિ તથા વેયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક અપરિહાણિ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચનવાત્સલ્ય એ તીર્થકર નામકર્મના આસવો છે. (૧) દર્શનવિશુદ્ધિ– શંકાદિ પાંચ અતિચારથી રહિત સમ્યગ્દર્શનનું પાલન. ૧. સમ્યગ્દર્શનનું વર્ણન પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં આવી ગયું છે. પાંચ અતિચારોનું વર્ણન
અ.૭ સૂત્ર-૧૮માં આવશે.