SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ શ્રીતવાથધિગમસૂત્ર અિ૦ ૬ સૂ૦ ૨૦-૨૧ પદથી ત્રણ જ આયુષ્યનું ગ્રહણ કર્યું છે. સૂત્રકાર પોતે જ ભાષ્યકાર છે. એટલે એમની ભૂલ છે એમ પણ જરાય કહી શકાય નહિ. આથી આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઇએ. તત્ત્વ કેવલી ભગવંત જાણે. (૧૯) દેવગતિના આયુષ્યના આસ્ત્રવો– सरागसंयम-संयमासंयम-ऽकामनिर्जराવનિતાસિ વૈવાય છે ૬-૨૦ | સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતા એ દેવ આયુષ્યના આસ્ત્રવો છે. સરાગસંયમ આદિ ચાર શબ્દોના અર્થો આ અધ્યાયના ૧૩મા સૂટમાં આવી ગયા છે. કલ્યાણમિત્રનો સંપર્ક, ધર્મશ્રવણ, દાન, શીલ, તપ, ભાવના, શુભ લેશ્યાપરિણામ, અવ્યક્ત સામાયિક, વિરાધિત સમ્યગ્દર્શન વગેરે પણ દેવ આયુષ્યના આસવો છે. (૨૦) અશુભ નામ કર્મના આસવોયોવતી વિસંવાને વામણ ના -૨૨ | મન, વચન અને કાયા એ ત્રણ યોગોની વક્રતા કુટિલ પ્રવૃત્તિ તથા વિસંવાદન અશુભ નામ કર્મના આસવો છે. (૧) કાયયોગવક્રતા- કાયાના રૂપાંતરો કરી અન્યને ઠગવું. (૨) વચનયોગવકતા- જૂઠું બોલવું વગેરે. (૩) મનોયોગવતા–મનમાં બીજું જ હોવા છતાં લોકપૂજા, સત્કાર, સન્માન વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જુદી જ કરવી. (૪) વિસંવાદન– પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાંતરે ફેરફાર કરવો વગેરે. યદ્યપિ સામાન્યથી વિસંવાદન અને વચનયોગવકતાનો અર્થ એક જ છે. પણ સૂક્ષ્મદષ્ટિથી બંનેના અર્થમાં ભેદ છે. કેવળ પોતાને આશ્રયીને મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય ત્યારે યોગવક્રતા કહેવાય અને બીજાના વિષયમાં પણ તેમ થાય તો વિસંવાદન કહેવાય. અર્થાત્ કેવળ પોતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા, અને પોતાની વચનયોગ વક્રતાના કારણે અન્યની પણ વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે વિસંવાદન, જેમ કે–ભય આદિના કારણે ખોટું બોલે તો તે વચનયોગવક્રતા છે. પણ એકને કંઈ કહે અને બીજાને
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy