SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૬ સૂ૦ ૧૮-૧૯] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૬૧ આયુષ્યના આસવો છે. આ આસ્રવોથી ભવાંતરમાં તિર્યંચગતિમાં ઉત્પન્ન થવું પડે તેવાં અશુભ કર્મો બંધાય છે. (૧૭) મનુષ્યગતિના આયુષ્યના આસ્રવો— અત્યાઽર્મ-પદ્મિહત્વ-સ્વમાવમાવા-ડńવું ન માનુષસ્ય ।૬-૧૮ ॥ અલ્પ આરંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક(=અકૃત્રિમ) મૃદુતા અને સ્વાભાવિક સરળતા એ મનુષ્ય આયુષ્યના આસ્રવો છે. તથા વિનય, કષાયની અલ્પતા, સુસ્વભાવ, દેવ-ગુરુની પૂજા, અતિથિસત્કાર, કાપોતલેશ્યાના પરિણામ, ધર્મધ્યાન વગેરે પણ મનુષ્ય આયુષ્યના આસ્રવો છે. (૧૮) ઉક્ત નરકાયુ આદિ ત્રણ આયુષ્યનો સમુદિત આસ્રવ– નિ:શીન-વ્રતત્વ ચ સર્વેષામ્ II ૬-૨૧ ॥ શીલ' અને વ્રતના પરિણામનો અભાવ નરક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યોનો આસ્રવ છે. અર્થાત્ વ્રત અને શીલના પરિણામથી રહિત જીવ ત્રણે પ્રકારના આયુષ્યને બાંધી શકે છે. પૂર્વે બતાવેલા તે તે આયુષ્યના તે તે આસ્રવો તો છે જ. તદુપરાંત શીલવ્રતના પરિણામનો અભાવ પણ તે ત્રણે પ્રકારના આયુષ્યનો આસવ છે. પ્રશ્ન– શીલ-વ્રતના પરિણામનો અભાવ જેમ નરકાદિ આયુષ્યનો આસ્રવ છે તેમ દેવગતિના આયુષ્યનો પણ આસવ છે. કારણ કે ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા યુગલિકો નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. યુગલિકોને શીલ-વ્રતના પરિણામનો અભાવ હોય છે. તો અહીં શીલ-વ્રતના અભાવને ત્રણ જ આયુષ્યના આસ્રવ તરીકે કેમ જણાવ્યો ? ઉત્તર— સૂત્રમાં સર્વેષાં પદ છે. સર્વેમાં પદથી ત્રણ આયુષ્ય લેતાં ઉપરોક્ત વિરોધ આવે છે. એટલે સર્વેમાં પદથી ચારેય આયુષ્યનું ગ્રહણ ક૨વામાં આવે તો આ વિરોધ ન રહે. પણ પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં સર્વેષાં ૧. સાધુઓને પાંચ મહાવ્રતો વ્રત છે. એ વ્રતોના પાલન માટે જરૂરી પિંડવિશુદ્ધિ (બેતાલીશ દોષથી રહિત ભિક્ષા મેળવવી, ગુપ્તિ, સમિતિ, ભાવના વગેરે શીલ છે. શ્રાવકોને પાંચ અણુવ્રતો વ્રત છે. તેના પાલન માટે જરૂરી ચાર ગુણવ્રત, ત્રણ શિક્ષાવ્રત, અભિગ્રહો વગેરે શીલ છે. વ્રતોનું નિરૂપણ અ.૭, સૂ.૧માં આવશે. ગુપ્તિ આદિનું નિરૂપણ અ.૯, સૂ.૨ થી શરૂ થશે. ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું વર્ણન અ.૭, સૂ.૧૬માં આવશે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy