________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૬ સૂ૦ ૧૫-૧૬-૧૭
દુઃખનું મૂળ સંસાર છે. સંસારનું મૂળ દર્શનમોહનીય=મિથ્યાત્વ છે. માટે સાધકે ભૂલે ચૂકે પણ કેવળી આદિનો અવર્ણવાદ ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ. દેવ આદિ વિષે બોલતાં પહેલાં ખૂબ જ વિચાર કરવો જોઇએ. કોઇનો પણ અવર્ણવાદ પાપ છે. જ્યારે કેવળી આદિનો અવર્ણવાદ મહાપાપ છે. સ્વયં અવર્ણવાદ ન બોલે, પણ અન્ય બોલે તેમાં હાજી હા કરે, તેનું સાંભળે તો પણ મહાપાપ લાગે. માટે ગમે ત્યારે ગમે તેનું સાંભળવામાં કે વાંચવામાં પણ બહુ જ સાવધગીરી રાખવાની જરૂર છે. (૧૪) ચારિત્રમોહનીય કર્મના આસ્રવો—
कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥ ६-१५ ॥ કષાયના ઉદયથી આત્માના અત્યંત સંક્લિષ્ટ પરિણામો ચારિત્ર મોહનીય કર્મના આસ્રવો છે.
૨૬૦
સમ્યગ્દર્શનાદિ ગુણસંપન્ન સાધુઓની કે શ્રાવક આદિની નિંદા કરવી, તેમના ઉ૫૨ ખોટા આરોપ લગાવવા, તેમની સાધનામાં વિઘ્નો ઊભા કરવાં, તેમનાં દૂષણો જોયા કરવાં, સ્વયં કષાયો કરવા અને અન્યને કરાવવા વગેરે અત્યંત સંક્લિષ્ટ પરિણામોથી ભવાંતરમાં ચારિત્રની પ્રાપ્તિ ન થાય તેવાં કર્મો બંધાય છે. (૧૫)
નરકગતિના આયુષ્યના આસ્રવો— વદ્વારમ-પશ્ર્ચિત્વ = નાર સ્થાયુષ: II ૬-૬ ॥ અતિશય આરંભ અને અતિશય પરિગ્રહ નરકાયુના આસ્રવો છે. તદુપરાંત માંસાહાર, પંચેન્દ્રિયવધ, કૃષ્ણલેશ્યાના પરિણામો, રૌદ્રધ્યાન, તીવ્ર કષાયો વગેરે પણ નરકગતિના આસવો છે. આ આસ્રવોથી ભવાંતરમાં નરકમાં જવું પડે તેવા કર્મો બંધાય છે. (૧૬)
તિર્યંચગતિના આયુષ્યના આસ્રવો— માયા તૈર્વયોનસ્ય ॥ ૬-૨૭ ॥
માયા તિર્યંચ આયુષ્યનો આસ્રવ છે.
કુધર્મદેશના, આરંભ, પરિગ્રહ, અસત્ય, અતિઅનીતિ, બહુ ફૂડકપટ, નીલ કે કાપોત લેશ્યાના પરિણામો, આર્તધ્યાન વગેરે પણ તિર્યંચ