________________
અ૦ ૬ સૂ૦ ૧૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૫૩
કરવું, અભ્યાસમાં પ્રમાદ કરવો, સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ વગેરે અનાદરથી કરવું, ખોટો ઉપદેશ આપવો, સૂત્ર વિરુદ્ધ બોલવું, શાસ્ત્રો (અર્થોપાર્જનના હેતુથી) વેચવા વગેરેનો' પણ પ્રદોષ આદિમાં સમાવેશ થાય છે.
વર્તમાનકાળમાં થતી જ્ઞાનની આશાતના— પુસ્તક આદિ જ્ઞાનનાં સાધનોને નીચે ભૂમિ ઉપર રાખવાં, ગમે ત્યાં ફેંકી દેવાં, મેલા કપડા સાથે કે શરીર આદિ અશુદ્ધ વસ્તુ સાથે અડાડવાં, બગલમાં કે ખીસામાં રાખવાં, સાથે રાખી ઝાડો, પેશાબ વગેરે કરવું, એંઠા મુખે બોલવું, અક્ષરવાળા પેંડા, કપડાં, સાબુ વગેરેનો ઉપયોગ કરવો, કાગળોમાં ખાવા વગેરેની વસ્તુઓ બાંધવી, ખાવું, કાગળોને ગમે ત્યાં ફેંકી દેવા, પગ લગાડવો, બાળી નાંખવા, ચરવળો, ઓઘો, મુહપત્તિ વગેરે સાથે પુસ્તકો અડાડવાં કે રાખવાં વગેરે ઉક્ત આસ્રવોથી ભવાંતરમાં જ્ઞાન ન ચઢે તેવાં અશુભ કર્મો બંધાય છે. આ પ્રમાણે દર્શનગુણને આશ્રયીને પણ સમજી લેવું. અહીં દર્શન એટલે તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા. વિશિષ્ટ આચાર્ય વગેરે દર્શની છે. વિશિષ્ટ જ્ઞાનના ગ્રંથો, જિનમંદિર વગેરે દર્શનનાં સાધનો છે. (૧૧)
અસાતાવેદનીય કર્મના આસ્રવો—
૩:વ-શો-તાપા-ડન-ધ-પરિવનાન્યાત્મપરોમયસ્થાય-ઢેઘસ્ય ॥ ૬-૨ ॥
દુઃખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવન (૧) સ્વયં અનુભવે કે (૨) અન્યને કરાવે તથા (૩) સ્વયં પણ અનુભવે અને અન્યને પણ કરાવે એમ ત્રણે રીતે અસાતાવેદનીય કર્મના આસ્રવો બને છે.
(૧) દુઃખ એટલે અનિષ્ટ વસ્તુનો સંયોગ અને ઇષ્ટ વસ્તુનો વિયોગ આદિ બાહ્ય કે રાગ વગેરે અત્યંતર નિમિત્તોથી અસાતાવેદનીય કર્મના ઉદયથી થતી પીડા.
૧. જુઓ રાજવાર્તિક વગેરે ગ્રંથો.
२. नवरं दर्शनस्य तत्त्वार्थश्रद्धानलक्षणस्य दर्शनिनां विशिष्टाचार्याणां
વર્ણનસાધનાનાં ૫ સમ્મત્વાલિપુસ્તજાનામિતિ વાચ્યમ્ । (શ્રી હરિભદ્રસૂરિ ટીકા) ૩. ખરાબ સ્વભાવના લોકો અયોગ્ય વર્તન કરીને સ્વયં તો દુઃખ પામે છે, પણ પોતાના સહવાસીઓને પણ દુઃખી કરે છે, તેમને અનેક તકલીફો ઊભી કરે છે. આથી આવા જીવો બંને રીતે અશાતા બાંધે છે.