________________
૨૫૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૬ સૂ૦ ૧૧ જેમની પાસે અભ્યાસ કર્યો હોય તેમને જ્ઞાનગુરુ તરીકે ન માનવા. જ્ઞાનનાં સાધનો પોતાની પાસે હોવા છતાં નથી એમ કહેવું વગેરે.
(૩) માત્સર્ય– પોતાની પાસે જ્ઞાન હોય અને અન્ય યોગ્ય વ્યક્તિ ભણવા આવે ત્યારે, આ ભણીને મારા સમાન વિદ્વાન થઈ જશે, કે મારાથી પણ આગળ વધી જશે, એમ ઈર્ષાથી તેને જ્ઞાનનું દાન ન કરવું. જ્ઞાની પ્રત્યે ઇર્ષા ધારણ કરવી વગેરે.
(૪) અંતરાય- અન્યને ભણવા વગેરેમાં વિઘ્ન ઊભું કરવું. સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તેને (સ્વાધ્યાય કરનારને) બોલાવવો, કામ સોંપવું, તેના સ્વાધ્યાયમાં વિક્ષેપ થાય તેમ બોલવું કે વર્તવું. વ્યાખ્યાન આદિમાં વાતચીત કરવી, ઘોંઘાટ કરવો, અન્યને વ્યાખ્યાનમાં જતા રોકવા, જ્ઞાનનાં સાધનો હોવા છતાં ન આપવા વગેરે.
(૫) આસાદન– જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનો પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય, બહુમાન વગેરે ન કરવું, ઉપેક્ષા સેવવી. અવિધિએ ભણવુંભણાવવું વગેરે.'
(૬) ઉપઘાત– અજ્ઞાનતા આદિથી “આ કથન અસત્ય છે' ઇત્યાદિ રૂપે જ્ઞાનમાં દૂષણ લગાવવું. આમ ન જ હોય ઇત્યાદિ રૂપે જ્ઞાનીનાં વચનો અસત્ય માનવાં. જ્ઞાનીને આહારાદિના દાનથી સહાયતા ન કરવી. જ્ઞાનનાં સાધનોનો નાશ કરવો વગેરે.
યદ્યપિ આસાદન અને ઉપઘાત એ બંનેનો અર્થ નાશ થાય છે. પણ આસાદનમાં જ્ઞાન આદિ પ્રત્યે અનાદરની પ્રધાનતા છે, જ્યારે ઉપઘાતમાં દૂષણની પ્રધાનતા છે. આમ આસાદન અને ઉપઘાતમાં તફાવત છે એમ સર્વાર્થસિદ્ધિ ટીકાઃ આદિમાં જણાવ્યું છે.
તદુપરાંત– જ્ઞાની પ્રત્યે પ્રતિકૂળ વર્તવું. જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ન રાખવી, જ્ઞાનીનું અપમાન કરવું, જ્ઞાનનો ગર્વ કરવો, અકાળે અધ્યયન १. आसादना अविध्यादिग्रहणादिना, उपघातो मतिमोहेनाहाराद्यदानेन ।
(શ્રી હરિભદ્રસૂરિની ટીકા). २. सतो ज्ञानस्य विनयप्रदानादिगुणकीर्तनाननुष्यनमासादनम्,
૩૫થતિનુ જ્ઞાનમજ્ઞાનમેતિ જ્ઞાનનાશમઝા : ફુચનોર મે: 1 (સર્વાર્થસિદ્ધિ ટીકા)