________________
અ) ૬ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૪૯ ૧૦૮ ભેદો- સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ મન, વચન અને કાયા દ્વારા થાય છે. માટે ૩૪૩=૯. આ નવ ભેદો જીવ સ્વયં કરે છે, કરાવે છે અને અનુમોદે છે. એટલે ૯*૩=૨૭. આ ર૭ ભેદોમાં ક્રોધાદિ ચાર કષાયો નિમિત્ત બને છે. માટે ૨૭*૪=૧૦૮.
સંરંભાદિનો અર્થ- સંરંભ હિંસા આદિ ક્રિયાનો સંકલ્પ. સમારંભ=હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આરંભ=હિંસા આદિની ક્રિયા કરવી. ત્રણ યોગોનું સ્વરૂપ પૂર્વે આ અધ્યાયના પ્રથમ સૂત્રમાં આવી ગયું છે. કૃત=સ્વયં હિંસા આદિની ક્રિયા કરવી. કારિત બીજા પાસે હિંસા આદિની ક્રિયા કરાવવી. અનુમત-અન્યની હિંસા આદિ ક્રિયાની અનુમોદના કરવી, પ્રશંસા કરવી. ક્રોધાદિ ચાર કષાયો સામાન્યથી પ્રસિદ્ધ છે. વિશેષથી કષાયોનું સ્વરૂપ આઠમા અધ્યાયના દશમાં સૂત્રમાં જણાવવામાં આવશે. (૯)
અજીવ અધિકરણના ભેદોનિર્વતન-નિક્ષેપ-રંથોન-નિક દિવસુ-ફૈિ-રિમેક પણ્ ૬-૧૦
નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ ચાર પ્રકારે અજીવાધિકરણ છે. તે ચારના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદો છે.
(૧) નિર્વર્તના એટલે રચના. નિર્વતૈનાના મૂલગુણ અને ઉત્તરગુણ એમ બે ભેદો છે. મૂલગુણ નિર્વર્તના એટલે ઔદારિક આદિ પાંચ શરીર, ભાષા, મન અને શ્વાસોચ્છવાસની રચના. ઉત્તરગુણ નિર્વર્તના એટલે કાઇ, તલવાર આદિની રચના. અહીં મૂળનો અર્થ મુખ્ય કે આત્યંતર અને ઉત્તરનો અર્થ અમુખ્ય કે બાહ્ય છે. હિંસા આદિ ક્રિયા કરવામાં શરીર આદિ મુખ્યત્ર અભ્યતર સાધન છે, અને તલવાર આદિ અમુખ્ય=બાહ્ય સાધન છે. મૂલગુણ અને ઉત્તરગુણની રચનામાં હિંસા આદિ થવાથી એ રચના સ્વયં અધિકરણ રૂપ છે, અને અન્ય અધિકરણમાં કારણ પણ બને છે.
() નિક્ષેપ એટલે મૂકવું. નિક્ષેપના અપ્રત્યવેક્ષિત, દુષ્પમાર્જિત, સહસા અને અનાભોગ એમ ચાર ભેદો છે. અપ્રત્યવેક્ષિત નિક્ષેપ એટલે १. संरंभो संकप्पो परितावकरो भवे समारंभो ।
आरंभो उद्दवलतो शुद्धनयाणं तु सव्वेसि ।।