________________
અ૦૬ સૂ૦૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૪૧ અધિક થાય છે. આથી સંસારનું મુખ્ય કારણ કષાયોગરાગદ્વેષ છે. પ્રશસ્તકષાયના સહયોગથી થતો કર્મબંધ શુભ થાય છે, અપ્રશસ્ત કષાયના સહયોગથી થતો કર્મબંધ અશુભ થાય છે. બંને પ્રકારનો કર્મબંધ સંસારનો હેતુ બને છે. પણ પ્રશસ્ત કષાયના સહયોગથી થતો શુભ કર્મબંધ પરિણામે સંસારથી મુક્ત કરાવનારો છે.
ઇર્યા એટલે ગમન. ગમનના ઉપલક્ષણથી કષાય વિનાની મન, વચન અને કાયાની દરેક પ્રવૃત્તિ જાણવી. પથ એટલે દ્વારા. કેવળ(=કષાય રહિત) યોગ દ્વારા થતો આસવ (અર્થાત્ બંધ) ઈર્યાપથ છે. કષાયરહિત આત્મામાં આસવ(કર્મબંધ) કેવળ યોગથી જ થાય છે. આથી તે ઈર્યાપથ આસ્રવ કહેવાય છે. આ આસવથી થતો બંધ રસ રહિત હોય છે અને તેની સ્થિતિ પણ એક સમયની હોય છે. ઈયપથમાં કર્મો પ્રથમ સમયે બંધાય, બીજા સમયે રહે=ભોગવાય અને ત્રીજા સમયે આત્માથી વિખૂટા પડી જાય છે. જેમ શુષ્ક (=ચીકાશરહિત) ભીંત ઉપર પથ્થર ફેંકવામાં આવે તો તે પથ્થર ભીંતની સાથે ચોંટ્યા વિના અથડાઇને તુરત નીચે પડી જાય, તેમ ઈર્યાપથમાં કર્મો તુરત (એક જ સમયમાં) આત્માથી વિખૂટા પડી જાય છે.
સકષાયથી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની સાથે ચીકાશવાળી ભીંત ઉપર રજ ચોટે તેમ ચોંટી જાય છે, અને લાંબા કાળ સુધી (સ્થિતિ પ્રમાણે) રહે છે. અબાધાકાળ પૂર્ણ થતાં પોતાનું ફળ આપે છે.
પ્રથમ ગુણસ્થાનકથી ૧૦મા ગુણસ્થાનક સુધી કષાયોદય હોવાથી સાંપરાયિક આસવ, અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઈર્યાપથ આસ્રવ હોય છે. ૧૪મા ગુણસ્થાને યોગનો પણ અભાવ હોવાથી આસવનો સર્વથા અભાવ હોય છે. (૫)
સાંપરાયિક આસવના ભેદોન્દ્રિય-વાય-5ઘત-દિયા: પશ્ચ-:-પશ્ચપશિતિ-સંધ્યા: પૂર્વશ મેવા: . ૬-૬ |
૫ ઈન્દ્રિયો, ૪ કષાયો, ૫ અવ્રત, ૨૫ ક્રિયા એમ કુલ ૩૯ ભેદો સાંપરાયિક આસ્રવના છે. ૧. નવતત્ત્વ પ્રકરણમાં ૩ યોગ સહિત ૪૨ ભેદો જણાવ્યા છે.