SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અ) ૬ સૂ૦૩] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર ૨૩૯ કારણ છે અને અશુભ યોગ પાપનું કારણ છે. યોગની શુભતા અને અશુભતા અધ્યવસાયોના આધારે થાય છે. શુભ અધ્યવસાયથી યોગ શુભ બને છે અને અશુભ અધ્યવસાયથી યોગ અશુભ બને છે. આથી આસવમાં યોગ ગૌણ કારણ છે અને અધ્યવસાયો મુખ્ય કારણ છે. (૨) શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે એનો નિર્દેશ રામ: પુષ્પચ ૬-રૂ શુભ યોગ પુણ્યકર્મનો આસ્રવ છે. કાયાદિ પ્રત્યેક યોગના શુભ અને અશુભ એમ બે ભેદ છે. આત્માના શુભ પરિણામથી (=અધ્યવસાયથી) થતો યોગ શુભયોગ. આત્માના અશુભ પરિણામથી (=અધ્યવસાયથી) થતો યોગ અશુભયોગ. આસવના પણ પુણ્ય અને પાપ એમ બે ભેદો છે. શુભ કર્મોનો આસ્રવ તે પુણ્ય અને અશુભ કર્મોનો આસવ તે પાપ. કયા કર્મો શુભ છે અને કયા કર્મો અશુભ છે તેનું વર્ણન આઠમા અધ્યાયના અંતિમ સૂત્રમાં આવશે. અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, દેવગુરુભક્તિ, દયા, દાન વગેરેની પ્રવૃત્તિ શુભ કાયયોગ છે. સત્ય અને હિતકર વાણી, દેવગુરુ આદિની સ્તુતિ, ગુણ-ગુણીની પ્રશંસા વગેરે શુભ વચનયોગ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દેવગુરુભક્તિ, દયા, દાન વગેરે ના વિચારો શુભ મનોયોગ છે. પ્રશ્ન- શુભયોગથી નિર્જરા પણ થાય છે તો અહીં તેને કેવળ પુણ્યના કારણ તરીકે કેમ કહેલ છે? ઉત્તર– શુભયોગથી પુણ્ય જ થાય, નિર્જરા ન થાય. નિર્જરા શુભ આત્મપરિણામથી( જ્ઞાનાદિના ઉપયોગથી) થાય. જેટલા અંશે શુભ આત્મપરિણામ તેટલા અંશે નિર્જરા અને જેટલા અંશે શુભયોગ તેટલા અંશે પુણ્યબંધ.' પ્રશ્ન- શુભયોગ વખતે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોનો પણ આસવ થાય છે. ઘાતકર્મો આત્માના ગુણોને રોકનારા હોવાથી અશુભ છે. આથી શુભયોગથી પુણ્યનો આસવ થાય છે એમ કહેવું ઠીક નથી. ૧. નાનાત્મનો રોક્તના નાવો મતઃ | નાનોપો તૈનાશોના સંવર: || (અધ્યાત્મસાર શ્લોક-૮૨૫)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy