SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨ વચન ખોટું પણ છે. આથી આ વચન મિશ્ર=સત્યમૃષા છે. (૪) અસત્યામૃષાસાચું પણ નહિ ને ખોટું પણ નહિ તેવું વચન દા.ત. ગામ જા, વગેરે. ચાર મનોયોગ- વચનયોગના જે ચાર ભેદો છે તે જ ચાર ભેદો મનોયોગના છે. અર્થ પણ તે જ છે. માત્ર બોલવાના સ્થાને વિચાર કરવો એમ સમજવું. (૧) આયવનું નિરૂપણ સ મારવ: || ૬-૨ તે (યોગ) આરવ છે. આસવ એટલે કર્મોનું આવવું. જેમ વ્યવહારમાં પ્રાણનું કારણ બનનાર અત્રને (ઉપચારથી) પ્રાણ કહેવામાં આવે છે તેમ અહીં કર્મોને આવવાના કારણને પણ આસવ કહેવામાં આવે છે. જેમ બારી દ્વારા મકાનમાં કચરો આવે છે તેમ યોગ દ્વારા આત્મામાં કર્મો આવે છે. માટે યોગ પણ આસવ છે. જેમ પવનથી આવતી ધૂળ જળથી ભીના કપડામાં એકમેક રૂપે ચોંટી જાય છે, તેમ પવન રૂપ યોગ દ્વારા આવતી કર્મરૂપી રજ કષાયરૂપ પાણીથી ભીના આત્માના સઘળા પ્રદેશોમાં એકમેક ચોંટી જાય છે. યોગથી કર્મનો આસવ, કર્મના આસવથી બંધ, બંધથી કર્મનો ઉદય, કર્મના ઉદયથી સંસાર. માટે સંસારથી મુક્તિ મેળવવી હોય તો આસવનો ત્યાગ કરવો જોઇએ. જેમ છિદ્રો દ્વારા નૌકામાં જળનો પ્રવેશ થતાં તે સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ યોગરૂપ છિદ્રો દ્વારા જીવરૂપ નૌકામાં કર્મરૂપ જળનો પ્રવેશ થવાથી તે સંસારરૂપ સાગરમાં ડૂબી જાય છે. આસવનો દ્રવ્ય-ભાવની દષ્ટિએ વિચાર કરવામાં આવે તો મન, વચન અને કાયા એ ત્રણ યોગ દ્રવ્યઆસવ છે. જીવના શુભ કે અશુભ અધ્યવસાય ભાવઆસવ છે. દ્રવ્ય એટલે અપ્રધાન=ગૌણ. ભાવ એટલે પ્રધાન=મુખ્ય. આસવમાં મુખ્ય કારણ આત્માના શુભ કે અશુભ અધ્યવસાયો છે. કારણ કે યોગની વિદ્યમાનતા હોવા છતાં શુભ કે અશુભ અધ્યવસાયો ન હોય તો કર્મનો આસવ થતો નથી. જેમ કે ૧૩મા ગુણસ્થાને વર્તમાન કેવળી ભગવંતને કાય આદિ યોગો હોવા છતાં કેવળ સતાવેદનીય કર્મનો જ આસવ થાય છે. તથા આગળના બે સૂત્રોમાં કહેવામાં આવશે કે શુભયોગ પુણ્યનું
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy