________________
૨૩૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo૫ સૂ૦૪૩ પરિણામ અનાદિ અને આદિમાન ( નવો બનતો) એ બે પ્રકારે છે.
જેની આદિ નથી, અર્થાત્ અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે ન કહી શકાય, તે અનાદિ. જેની આદિ છે, અર્થાત્ અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે કહી શકાય, તે આદિમાન. દ્રવ્યોના રૂપી અને અરૂપી એમ બે ભેદ છે. તેમાં અરૂપીદ્રવ્યોના પરિણામ અનાદિ છે. ધમસ્તિકાયના અસંખ્યપ્રદેશવત્વ, લોકાકાશવ્યાપિત્વ, ગતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુત્વ વગેરે, અધમસ્તિકાયના અસંખ્યપ્રદેશવત્વ, લોકાકાશવ્યાપિત્વ, સ્થિતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુત્વ વગેરે, આકાશના અનંતપ્રદેશત્વ, અવગાહદાયિત્વ વગેરે, જીવના જીવત્વ વગેરે, કાળના વર્તન વગેરે પરિણામો અનાદિ છે. આ પરિણામો કોઈ અમુક કાળે ઉત્પન્ન થયા એવું નથી, કિન્તુ જ્યારથી દ્રવ્યો છે ત્યારથી જ છે. દ્રવ્યો અનાદિ છે. માટે આ પરિણામો પણ અનાદિ છે. (૪૨).
આદિમાન પરિણામ રૂપિષ્યાવિમાન પ-કરૂ છે. રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે.
પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તેમાં રહેલ શ્વેતરૂપ આદિ પરિણામ આદિમાન છે. કારણ કે તેમાં પ્રતિક્ષણ રૂ૫ આદિનું પરિવર્તન થાય છે. વિવક્ષિત સમયે થયેલા પરિણામ પૂર્વ સમયે ન હોવાથી આદિમાન છે. પ્રવાહની અપેક્ષાએ તો રૂપી દ્રવ્યોમાં પણ અનાદિ પરિણામ છે. આથી અહીં રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામનું કથન વ્યક્તિની અપેક્ષાએ છે.
જો આપણે જરા સૂક્ષ્મદષ્ટિથી વિચારીશું તો જણાશે કે જેમ રૂપી દ્રવ્યોમાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ છે. તેમાં અરૂપી દ્રવ્યોમાં પણ બંને પ્રકારના પરિણામો રહેલા જ છે. દા.ત. ગતિ કરવામાં પ્રવૃત્ત થયેલા પદાર્થને ધર્માસ્તિકાય સહાયતા કરે છે. વિવક્ષિત સમયે કોઈ પદાર્થની ગતિ થઈ તો એ સમયે ધર્માસ્તિકાયમાં તે પદાર્થ સંબંધી ( ગતિમાન પદાર્થ સંબંધી) ઉપગ્રાહકવરૂપ પર્યાય ઉત્પન્ન થયો. એ પહેલાં તેમાં તે પદાર્થની (ગતિમાન પદાર્થની) અપેક્ષાએ ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ ન હતો. હવે જયારે તે પદાર્થ સ્થિર બને છે ત્યારે ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ