________________
૨૩૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અ૦ ૫ સૂ૦ ૩૮-૩૯ દ્રવ્યમાં હોય તે દ્રવ્યના અસાધારણ ગુણો કહેવાય. જે ગુણો અનેક દ્રવ્યોમાં હોય, તે ગુણો સાધારણ કહેવાય. ચેતના આત્માનો અસાધારણ ગુણ છે. કારણ કે તે ગુણ આત્મામાં જ છે, આત્માથી અતિરિક્ત કોઈ દ્રવ્યમાં નથી. રૂપ, રસ આદિ પુદ્ગલ દ્રવ્યના અસાધારણ ગુણો છે. પુદ્ગલ સિવાય કોઈ દ્રવ્યમાં એ ગુણો નથી. અસ્તિત્વ, જ્ઞેયત્વ વગેરે સાધારણ ગુણો છે. તે ગુણો સર્વ દ્રવ્યોમાં રહે છે. કાળનું નિરૂપણ–
નશે | -૩૮ | કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.
અહીં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માને છે એમ કહેવાથી એ સિદ્ધ થાય છે કે, કાળમાં દ્રવ્યનું લક્ષણ ઘટતું ન હોવાથી સૂત્રકારને કાળ દ્રવ્ય તરીકે ઈષ્ટ નથી. જગતની સત્તા, જગતમાં થતા ફેરફારો, ક્રમથી કાર્યની પૂર્ણતા, નાના-મોટાના વ્યવહાર વગેરે કાળ વિના ન ઘટી શકે. આથી જ વર્તના, પરિણામ વગેરે કાળનો ઉપકાર છે એમ આ અધ્યાયના ૨૨મા સૂત્રમાં જણાવ્યું છે. એટલે કાળ જેવી વસ્તુ જગતમાં છે, તેમાં કોઈનાથી નિષેધ કરી શકાય તેમ નથી. પણ કાળ દ્રવ્ય રૂપ છે કે ગુણ-પર્યાય રૂપ છે એમાં મતભેદ છે. આ મતભેદનો આ સૂત્રમાં નિર્દેશ કર્યો છે. (૩૮)
કાળનું વિશેષ સ્વરૂપસોનોસમયઃ | ક-૩૪ છે. કાળ અનંત સમય પ્રમાણ છે.
સમય એટલે કાળનો અંતિમ અવિભાજય સૂક્ષ્મ અંશ. કાળના વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તેમાં વર્તમાનકાળ એક સમયનો છે. ભૂત અને ભવિષ્ય એ બંને કાળ અનંત સમયના છે. અહીં ભૂત અને ભવિષ્યકાળને આશ્રયીને કાળને અનંત સમય પ્રમાણ કહ્યો છે.
જેમ પુગલનો અવિભાજ્ય(=જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ) અંશ પ્રદેશ કે પરમાણુ કહેવાય છે તેમ કાળનો અવિભાજ્ય(જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ) અંશ સમય કહેવાય છે. આંખનો એક પલકારો થાય તેટલામાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. કોઈ