SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૭ અ૦ ૫ સૂ૦૩૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર સ્નિગ્ધગુણ રૂક્ષગુણને સ્નિગ્ધરૂપે પરિણાવે છે. દા.ત. દ્વિગુણરૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતાં કોઈ વખત દ્વિગુણરૂક્ષ દ્વિગુણનિષ્પને દ્વિગુણરૂક્ષરૂપે પરિણાવે છે, એટલે કે દ્વિગુણરૂક્ષરૂપે કરી નાખે છે અને કોઈ વખત દ્વિગુણસ્નિગ્ધ દ્વિગુણરૂક્ષને દ્વિગુણસ્નિગ્ધરૂપે પરિણમાવે છે. સમગુણ સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષનો પરસ્પર બંધ થતો નથી. કારણ કે ૩૪માં સૂત્રમાં તેનો નિષેધ કર્યો છે. આથી તે વિષે અત્રે વિચારણા કરવાની રહેતી જ નથી. હવે જ્યારે દ્વિગુણ આદિ વિષમગુણ રૂક્ષ-સ્નિગ્ધનો, સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષનો બંધ થાય ત્યારે અધિકગુણ હનગુણને પોતાના રૂપે પરિણાવે છે. દા.ત. ત્રિગુણ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય છે ત્યારે ત્રિગુણ સ્નિગ્ધ એકગુણ સ્નિગ્ધને કે એકગુણ રૂક્ષને ત્રિગુણ સ્નિગ્ધરૂપે પરિણાવે છે. આથી તે આખો સ્કંધ ત્રિગુણસ્નિગ્ધ બને છે. જો ત્રિગુણરૂક્ષનો એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય તો ત્રિગુણ રૂક્ષ એકગુણ સ્નિગ્ધને કે એકગુણ રૂક્ષને ત્રિગુણ રૂક્ષરૂપે પરિણમાવે છે. આથી તે આખો સ્કંધ ત્રિગુણ રૂક્ષ બની જાય છે. (૩૬) દ્રવ્યનું લક્ષણ પાપર્યાયવ દ્રવ્યમ્ | ઉ-રૂ૭ | જેમાં ગુણો (=સદા રહેનારા જ્ઞાનાદિ અને સ્પર્ધાદિ ધમ) અને પર્યાયો(=ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા જ્ઞાનોપયોગ આદિ અને શુક્લરૂપ આદિ ધર્મો) હોય તે દ્રવ્ય. દરેક દ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ધર્મી=પરિણામો હોય છે. આ ધમ=પરિણામો બે પ્રકારના છે. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહે છે. કદી પણ દ્રવ્યમાં તે ધર્મોનો અભાવ જોવા મળતો નથી. જ્યારથી દ્રવ્યની સત્તા છે, ત્યારથી જ એ ધર્મોની દ્રવ્યમાં સત્તા છે. અર્થાત્ દ્રવ્યના સહભાવી છે. દ્રવ્યના સહભાવી (=સદા દ્રવ્યની સાથે રહેનારા) એ ધર્મોને ગુણો કહેવામાં આવે છે. જેમ કે–આત્મદ્રવ્યનો ચૈતન્ય ધર્મ. ચૈતન્ય ધર્મ આત્માની સાથે જ રહે છે. આત્મદ્રવ્યમાં ચૈતન્ય ન હોય એવું કદી બનતું નથી. આત્મા અને ચૈતન્ય સૂર્ય-પ્રકાશની જેમ સદા સાથે જ રહે છે. આથી ચૈતન્ય આત્માનો
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy