SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જીવોના અધ્યવસાયોમાં વિવલિત કોઈ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિઋતફાવત હોવાથી આ ગુણસ્થાનનું નિવૃત્તિકરણ' એવું પણ નામ છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય- અહીંથી જીવોના ક્ષેપક અને ઉપશમક એવા બે વિભાગ પડે છે. કોઈ જીવો અહીંથી મોહને મારતા મારતા આગળ વધે છે, તો કોઈ જીવો મોહને દબાવતા દબાવતા આગળ વધે છે. મોહને દબાવતા દબાવતા ચઢનાર જીવો ઉપશમકર કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાનક સુધી ચઢે છે, પછી અવશ્ય પતન પામે છે. મોહને મારતા મારતા જનારા જીવો ક્ષપક કહેવાય છે. તે જીવો દશમાં ગુણસ્થાનકથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. હવે આપણે નવમા ગુણસ્થાનની વાત કરીએ. નવમા ગુણસ્થાને રહેલો આત્મા (સૂક્ષ્મ લોભ સિવાય) મોહને મારી નાખે છે કે દબાવી દે છે. આ ગુણસ્થાનના નામમાં અનિવૃત્તિ અને બાદરભંપરાય એવા બે વિભાગ છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ-તરતમતા ન હોય, અર્થાત બધાના અધ્યવસાયો સમાન હોય છે. આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ જોડવામાં આવ્યો છે. બાદર એટલે સ્થૂલ. સંપરાય એટલે કષાય. આ ગુણસ્થાને સ્કૂલ કષાયો હોય છે માટે તેના નામમાં બાદર સંપરાય શબ્દ જોડવામાં આવ્યો છે. (૧૦) સૂક્ષ્મ સંપરાય- સંપરાય એટલે કષાય. નવમાં ગુણસ્થાને બાકી રહી ગયેલા સૂક્ષ્મ લોભ કષાયને આ ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે મારી નાખે છે. ૧. યદ્યપિ આઠમા ગુણસ્થાનકથી પણ ક્ષપક અને ઉપશમક એવા ભેદ પડે છે, પણ તે યોગ્યતાની અપેક્ષાએ છે, કાર્યની અપેક્ષાએ નહિ. કારણ કે ત્યાં મોહની એકપણ પ્રકૃતિનો સંપૂર્ણક્ષય કે ઉપશમ કરતો નથી. આ ગુણસ્થાને આવનાર જીવ અવશ્ય ઉપરના ગુણસ્થાને ચઢીને મોહનો ક્ષય કે ઉપશમ કરતો હોવાથી જેમ રાજયને યોગ્ય કુમારને રાજા-યુવરાજ કહેવામાં આવે છે તેમ ઉપચારથી તેને સપક કે ઉપશમક કહેવામાં આવે છે. મુખ્યતયા તો નવમા ગુણસ્થાનથી ક્ષપક-ઉપશમક એવા બે ભેદ પડે છે. ૨. સપક અને ઉપશમ એમ બે શ્રેણિ છે. સપક શ્રેણિથી ચઢનાર મોહને મારે છે, ઉપશમ શ્રેણિથી ચઢનાર મોહને દબાવે છે. સપક શ્રેણિથી ચઢનારને ‘ક્ષપક અને ઉપશમ શ્રેણિથી ચઢનારને ઉપશમક' કહેવામાં આવે છે. ૩. નવમાને અંતે બાદર(=સ્કૂલ) કષાયોનો ક્ષય કે ઉપશમ થાય છે. આથી આ ગુણસ્થાને બાદર કષાયો હોય છે એમ કહી શકાય.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy