SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૫ અO ૫ સૂ૦ ૩૫] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર ૩૨-૩૩-૩૪-૩૫ સૂત્રનો સાર પુદ્ગલોમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષગુણના કારણે ગમે તે ગુણવાળા પુગલનો ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય. આમ ૩૨મા સૂત્રમાં કહ્યું છે. ત્યાર પછીના ત્રણ સૂત્રોમાં બંધમાં અપવાદો બતાવવામાં આવ્યા છે. તેમાં ૩૩મા સૂત્રમાં જઘન્યગુણ પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય એ જણાવવામાં આવ્યું છે. એનો ફલિતાર્થ એ થયો કે જઘન્યગુણ પુગલનો મધ્યમગુણ કે ઉત્કૃષ્ટગુણ પુદ્ગલ સાથે બંધ થાય, તથા મધ્યમગુણ અને ઉત્કૃષ્ટગુણ પુદ્ગલનો પરસ્પર બંધ થાય. આ ફલિતાર્થનો ૩૪મા સુત્રમાં સંકોચ કરવામાં આવ્યો કે સદશ પુદ્ગલોમાં ગુણસામ્ય હોય તો બંધ ન થાય. આનો ફલિતાર્થ એ થયો કે સદશ પુદ્ગલોમાં ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. આ ફલિતાર્થનો ૩૫મા સૂત્રમાં સંકોચ કરવામાં આવ્યો કે–સદશ પુદ્ગલોમાં એકગુણ ગુણવૈષમ્ય હોય તો બંધ ન થાય. સદશ પુદ્ગલોમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. અર્થાત્ સદશ પુદ્ગલોમાં એકગુણથી વધારે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. નીચે જણાવેલા પુગલોનો પરસ્પર બંધ થાય બંધ થાય કેમ થાય? એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સાથે | બંનેમાં જઘન્યગુણ નથી, સદશ પણ નથી. એકગુણ રૂક્ષનો દ્વિગુણ નિષ્પ સાથે | બંનેમાં જઘન્યગુણ નથી, સદશ પણ નથી. એકગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ નથી, સદશ હોવા છતાં એકગુણ ગુણવૈષમ્ય નથી. એકગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ સાથે બંનેમાં જઘન્ય ગુણ નથી, સદશ હોવા છતાં એકગુણ ગુણવૈષમ્ય નથી. | દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સાથે સામ્ય છે પણ સદશ નથી. | દ્વિગુણ રૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે | સામ્ય છે પણ સદશ નથી.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy