________________
અO ૫ સૂ૦ ૩૨-૩૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૨૧ (૭) આત્મા વ્યક્તિત્વ વ નિત્ય વ, ચાહવવ્ય -આત્મા અપેક્ષાએ
નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
આ પ્રમાણે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ સિદ્ધ થતા એકત્વ-અનેકત્વ આદિ ધર્મયુગ્મને આશ્રયીને વિધિ અને નિષેધથી સપ્તભંગી થાય છે. (૩૧)
બંધપ્રકરણ
(આ અધ્યાયમાં સ્કંધની ઉત્પત્તિ જણાવવાના પ્રસંગે ર૬મા સૂત્રમાં સંઘાત શબ્દનો ઉલ્લેખ કર્યો છે. સંઘાત એટલે પુદ્ગલોને પરસ્પર જોડાણ અથવા બંધ'. આથી પુગલોનો બંધ કયા કયા કારણોથી થાય છે, અને કેવા કેવા પુદ્ગલોનો બંધ ન થાય એ જણાવવા બંધ પ્રકરણ શરૂ કરે છે.)
પુગલના બંધમાં હેતુનિરક્ષવા વ: | ૧-૩૨ . નિગ્ધ અને રૂક્ષ સ્પર્શથી પુગલોનો બંધ થાય છે.
બંધ એટલે પુદ્ગલોનો પરસ્પર એકમેક સંશ્લેષ=જોડાણ. અર્થાત્ જુદા જુદા પુદ્ગલો (સ્કંધ યા પરમાણુ) પરસ્પર જોડાઈને એક થાય તે બંધ. આ જોડાણ પુદ્ગલમાં રહેલ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ ગુણથી થાય છે. સ્નિગ્ધ સ્પર્શવાળા પુદ્ગલોનો નિગ્ધ સ્પર્શવાળા કે રૂક્ષ સ્પર્શવાળા એ બંને પ્રકારના પુગલોની સાથે બંધ થાય છે. તે જ પ્રમાણે રૂક્ષ સ્પર્શવાળા પુદ્ગલો માટે પણ જાણવું. અહીં બંધ પ્રકરણમાં પુદ્ગલ શબ્દથી પરમાણુ અને સ્કંધ એ બંને સમજવા. (૩૨)
(અહીં કોઈ પણ પ્રકારના પુલોનો કોઈ પણ પ્રકારના પુદ્ગલો સાથે બંધ થાય છે એમ જણાવ્યું. હવે આમાં અપવાદો બતાવે છે.)
બંધના વિષયમાં પ્રથમ અપવાદન નાચગુનામ્ | પ-૩૩ | જઘન્ય ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી.
૧. બંધ એટલે પુદ્ગલોનો સંયોગ (=અંતર વિના સહ અવસ્થાન) થયા બાદ અવયવ
અવયવિરૂપે પરિણમન.