________________
૨૨૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અo ૫ સૂ૦ ૩૧ વાક્ય (૪) “આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે' એવું બને છે. દરેક વાક્યમાં જકારનો અર્થ પૂર્વે કહ્યા મુજબ જ છે.
આ ચાર વાક્યોમાં પ્રથમનાં બે વાક્ય મુખ્ય છે. પ્રથમનાં બે વાક્યોના અર્થને સુદઢ રીતે સમજાવવા ત્રીજું વાક્ય છે. ત્રીજા વાક્યનો અર્થ એકીસાથે ન કહી શકાય, એ સમજાવવા ચોથું વાક્ય છે. આ ચાર વાક્યોના મિશ્રણથી અન્ય ત્રણ વાક્યો બને છે. નિત્ય પદ તથા અવક્તવ્ય પદથી પાંચમું, અનિત્યપદ અને અવક્તવ્ય પદથી છઠું. નિત્યપદ, અનિત્યપદ અને અવક્તવ્યપદ એ ત્રણ પદોથી સાતમું વાક્ય બને છે. તે આ પ્રમાણે (૫) આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” એમ પાંચમું વાક્ય છે. આનો અર્થ એ છે કે, અપેક્ષાએ આત્મા નિત્ય જ છે, તથા જેમ આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, તેમ અપેક્ષાએ અનિત્ય જ છે, પણ તે બંનેને એકી સાથે કહી શકાય તેમ નથી જ. હવે પછીનાં બે વાક્યોમાં પણ અવક્તવ્યનો અર્થ આ જ સમજવો. (૬) “આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.' એમછઠું વાક્ય છે. (૭) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.'
- આ સાત વાક્યોમાં સાત ભંગો=પ્રકારો થતા હોવાથી આ સાત વાક્યોને સપ્તભંગી કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આ સાત વાક્યોની રચના નીચે મુજબ છે– (૧) માત્મા સિત્ય -આત્મા અપેક્ષાએ નિત્ય જ છે. (૨) માત્મા નિત્ય ધ્ય-આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે.
માત્મા ચારિત્ર્ય પર્વ, ચારિત્ર્ય પર્વ-આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે. માત્મા ચાહવવ્ય પ્રવ-આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે. માત્મા ચારિત્ર્ય પર્વ, સાવચ્ચ વ-આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. આત્મા ચાનિત્ય , શાકવચ -આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
(૩)