________________
અ૦ ૫ સૂ૦ ૨૮-૨૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૨૧૩ ત્રણ કારણોમાંથી કયા કારણથી ઉત્પન્ન થયેલા સ્કંધો જોઈ શકાય છે તેનું નિરૂપણ
મે સંપાતામ્યાં ચાક્ષુષા: | -૨૮ |
ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (=ચક્ષુથી ગ્રાહ્ય) બને છે, એટલે કે ચક્ષુથી જોઈ શકાય છે.
પૂર્વે કહ્યું છે કે ભેદથી, સંઘાતથી અને ભેદ-સંઘાતથી એમ ત્રણ રીતે સ્કંધોની ઉત્પત્તિ થાય છે. આ ત્રણમાંથી જે કંધો કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધો આંખોથી જોઈ શકાતા નથી. જે સ્કંધો ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થાય છે તે જ સ્કંધો આંખોથી જોઇ શકાય છે.
તાત્પર્ય એ આવ્યું કે–અત્યંત સ્થૂલ પરિણામવાળા સ્કંધો જ આંખોથી જોઈ શકાય છે. એ સ્કંધો કેવળ ભેદ કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થતા નથી, કિન્તુ ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થાય છે. ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા બધા સ્કંધો જોઈ શકાય છે એવો નિયમ નથી. પણ જે સ્કંધો જોઈ શકાય છે તે સ્કંધો ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે એવો નિયમ છે. અહીં ચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે એમ સમજવું. અર્થાત ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલ સ્કંધો ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. (૨૮).
(અહીં સુધી ધર્માસ્તિકાય આદિ દરેક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ અને સ્વરૂપ જણાવ્યું. આથી એ સિદ્ધ થયું કે ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો સત્ છે=વિદ્યમાન છે. આથી હવે એ પાંચેયનું સત્ તરીકે એક લક્ષણ શું છે-સત કોને કહેવાય તે જણાવે છે.)
સતુનું લક્ષણઉત્પાદ-વ્યય- વ્યયુ સત્ છે અ-૨૧ છે જે ઉત્પાદ, વ્યય અને ધવ્યથી યુક્ત હોય તે સત્ કહેવાય.
આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે=આ જગતમાં વિદ્યમાન નથી. સત્ વસ્તુમાત્રમાં સદા ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હોય છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. પ્રૌવ્ય એટલે સ્થિરતા. દરેક વસ્તુ પ્રતિસમય પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે; તથા દ્રવ્ય રૂપે સ્થિર પણ રહે છે. દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨)