SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૫ સૂ૦ ૩૦ પર્યાયાં. તેમાં દ્રવ્ય રૂપ અંશ સ્થિર (વંધ્રુવ) હોય છે અને પર્યાય રૂપ અંશ અસ્થિર (=ઉત્પાદ-વ્યયશીલ) હોય છે. આથી સત્ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે. અહીં અન્ય દર્શનકારોના મતે સનું લક્ષણ શું છે તે વિચારવું જરૂરી છે. વેદાંતીઓ સંપૂર્ણ જગતને બ્રહ્મ સ્વરૂપ માને છે. ચેતન કે જડ સર્વ વસ્તુઓ બ્રહ્મના જ અંશો છે. જેમ એક ચિત્રમાં જુદા જુદા રંગો અને જુદી જુદી આકૃતિઓ હોય છે પણ તે સર્વ એક જ ચિત્રના વિભાગો છે, ચિત્રથી જુદા નથી. તેમ આ સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ ધ્રુવ=નિત્ય છે. આથી વેદાંતદર્શન બ્રહ્મ સ્વરૂપ સંપૂર્ણ સત્ પદાર્થને કેવળ ધ્રુવ=નિત્ય જ માને છે. બૌદ્ધદર્શન ચેતન કે જડ વસ્તુમાત્રને ક્ષણિક=ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામનાર માને છે. આથી તેના મતે સતનું લક્ષણ ક્ષણિકતા છે. સ ત ક્ષત્રિજે જે સત્ છે તે સર્વ ક્ષણિક છે. સાંખ્ય અને યોગદર્શન જગતને પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા. પ્રકૃતિના સંયોગથી પુરુષનો સંસાર છે. દશ્યમાન જડ વસ્તુઓમાં (પરંપરાએ) પ્રકૃતિનું પરિણામ છે. આ દર્શનના મતે પુરુષ ધ્રુવન્નકૂટસ્થ નિત્ય છે. જયારે પ્રકૃતિ પરિણામી નિત્ય=નિત્યાનિત્ય છે. ન્યાય અને વૈશેષિક દર્શન આત્મા, પરમાણુ, આકાશ વગેરેને ધ્રુવ કેવળ નિત્ય અને ઘટાદિ પદાર્થોને ઉત્પાદ-વ્યયશીલ માને છે. (૨૯) (વસ્તુ સ્થિર રહે છે એટલે નિત્ય છે, તથા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એટલે અનિત્ય છે. આથી એક જ વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આ હકીકત સ્થૂલ દષ્ટિથી વિચારતાં મગજમાં ન બેસે એ સંભવિત છે. આથી આ વિષે સ્પષ્ટતા કરવાની જરૂર હોવાથી સૂત્રકાર હવે નિત્યતાની વ્યાખ્યા બતાવે છે.) નિત્યનું લક્ષણતદ્ધાવાવ્ય નિત્યમ્ . -૩૦ | જે વસ્તુ તેના પોતાના ભાવથી અવ્યય રહે, એટલે કે પોતાના ભાવથી રહિત ન બને, તે નિત્ય. નિયતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના ભાવને=મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy