________________
૨૧૧
અ૦ પ સૂ૦ ૨૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
(૨) ભેદ– ભેદ એટલે છૂટું પડવું. અનંતાણુક સ્કંધમાંથી એક અણુ છૂટો પડે તો એક અણુ ન્યૂન અનંતાણુક અંધ બને છે. બે પરમાણુ છૂટા પડે તો બે પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. એમ પરમાણુઓ છૂટા પડતાં પડતાં અનંતાણુક અંધ અસંખ્યાતાણુક બની જાય તો એ અસંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. અસંખ્યાતાણુક સ્કંધમાંથી ઉપર મુજબ પરમાણુઓ છૂટા પડતાં પડતાં સંખ્યાતાણુક બની જાય તો એ સંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. સંખ્યાતાણક સ્કંધમાંથી પણ એક બે વગેરે પરમાણુ છૂટા પડતાં પડતાં યાવત્ માત્ર બે જ પરમાણુ રહે તો તે યણુક અંધ બની જાય. તે કયણુક સ્કંધની ઉત્પત્તિ પણ ભેદથી થઈ કહેવાય.
જેમ સંઘાતમાં એકી સાથે એક એક અણુ જ જોડાય એવો નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક અણુ જ છૂટો થાય એવો નિયમ નથી. અનંતાણુક વગેરે સ્કંધોમાંથી કોઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવત્ કોઈ વાર એકી સાથે માત્ર બે અણુઓને છોડીને બધા જ અણુઓ છૂટા પડી જાય અને તે અંધ યણુક બની જાય.
(૩) સંઘાત-ભેદ– સંઘાત-ભેદ એટલે એક જ સમયે છૂટું થવું અને ભેગું થવું. જે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુઓ છૂટા પડે અને તે જ સમયે બીજા એક, બે વગેરે પરમાણુઓ જોડાય તો તે સ્કંધની ઉત્પત્તિ સંઘાતભેદથી થાય. જેમ કે ચતુરણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટો પડ્યો અને તે જ સમયે બે પરમાણુ જોડાયા. આથી ચતુરણુક સ્કંધ પંચાણુક (પાંચ અણુવાળો) બન્યો. અહીં પંચાણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાત-ભેદથી થઈ. એમ ચતુરણુક સ્કંધમાં એક પરમાણુ જોડાયો અને તે જ સમયે તેમાંથી બે પરમાણુ છૂટા પડી ગયા તો અહીં એણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાત-ભેદથી થઈ. આમ સ્કંધમાં અમુક પરમાણુ જોડાય અને તે જ સમયે તેમાંથી જેટલા જોડાયા તેટલા કે વધારે ઓછા અણુ છૂટા પડે તો નવો જે સ્કંધ બને તેની ઉત્પત્તિ સંઘાતભેદથી થઈ છે એમ કહેવાય. (૨૬)
પરમાણુની ઉત્પત્તિમેવાણુ છે -ર૭ | પરમાણુની ઉત્પત્તિ સ્કંધના ભેદથી જ થાય છે.