________________
૨૧૦
શ્રીતવાથધિગમસૂત્ર (અ૫ સૂ૦ ૨૬ સ્કંધો જ આંખોથી દેખાય છે. આથી દશ્યમાન ઘટાદિ સર્વસ્કંધો બાદરપરિણામી છે. અદશ્યમાન વાયુ આદિના સ્કંધો સૂક્ષ્મ પરિણામી છે.
સ્કંધોમાં સ્પર્ધાદિની વિચારણા– બાદર પરિણામવાળા સ્કંધોમાં આઠેય પ્રકારનો સ્પર્શ અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધોમાં ચાર પ્રકારનો સ્પર્શ હોય છે. મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત હોય છે. અને અન્ય બે પ્રકારના સ્પર્શી અનિયત હોય છે. (સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શીત એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શી હોય છે). બંને પ્રકારના સ્કંધોમાં સર્વ પ્રકારના રસ, ગંધ અને વર્ણ હોય છે. (૨૫)
(પરમાણુ અને અંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિમાં કારણો ભિન્ન હોવાથી ભિન્ન છે. તે બંનેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે હવે પછીના બે સૂત્રોથી જણાવે છે.)
સ્કંધની ઉત્પત્તિનાં કારણોસંપાતિક્લેશ્ય કલ્પદાને | બ-ર૬
સંઘાત, ભેદ અને સંઘાત-ભેદ એ ત્રણ કારણોમાંથી કોઈ પણ એક કારણથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
(૧) સંઘાત- સંઘાત એટલે જોડાવું=ભેગું થવું. બે અણુના સંઘાતથી= પરસ્પર જોડાવાથી ત્યણુક(=બે અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. બે અણુમાં એક અણુ જોડાવાથી ચણુક(ત્રણ અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુમાં એક અણ જોડાવાથી ચતુરણુક(=ચાર અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત અણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતામુક, અસંખ્યાતાણુક અને અનંતાણુક અંધ ઉત્પન્ન થાય છે.
અહીં ક્રમશ: એક એક અણુ જોડાય એવો નિયમ નથી. ક્યણુક સ્કંધમાં એકી સાથે બે વગેરે અણુઓ જોડાય તો વ્યણુક સ્કંધ બન્યા વિના સીધો ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. તેવી રીતે છૂટા છૂટા ત્રણ કે ચાર વગેરે પરમાણુઓ એકી સાથે જોડાય તો ક્યણુક બન્યા વિના સીધો જ વ્યણુક કે ચતુરણુક વગેરે કંધ ઉત્પન્ન થાય છે. કોઈ વાર છૂટા છૂટા સંખ્યાતા પરમાણુઓ એકી સાથે જોડાવાથી ચણકાદિસ્કંધો બન્યા વિના સંખ્યાતાણુક અંધ બની જાય છે. એ પ્રમાણે અસંખ્યાતાણુક અને અનંતાણુક અંધ માટે પણ જાણવું.