________________
૨૦૫
અO ૫ સૂ૦ ૨૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષો વગેરેને સંગીતના પ્રયોગથી જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયોને દોહતી વખતે સંગીત સંભળાવવાથી ગાયો વધારે દૂધ આપે છે. અમુક પ્રકારના શબ્દપ્રયોગથી રોગોનો પણ નાશ કરી શકાય છે. આ હકીકતને આજે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી આપી છે.
(૨) બંધ– બંધ એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ મિલન. પ્રયોગબંધ અને વિસસાબંધ એમ બંધના બે ભેદ છે. (૧) જીવના પ્રયત્નથી થતો બંધ પ્રયોગબંધ, જીવ સાથે શરીરનો, જીવ સાથે કર્મોનો, લાખ અને લાકડાનો ઈત્યાદિ બંધ પ્રયોગબંધ છે. (૨) જીવના પ્રયત્ન વિના થતો બંધ વિસસાબંધ. વીજળી અને મેઘ વગેરેનો બંધ વિસસાબંધ છે. અમુક પ્રકારના પુદ્ગલોના મિલનથી વીજળી અને મેઘ વગેરે ઉત્પન્ન થાય છે. અહીં પુગલોનું મિલન કોઈ જીવના પ્રયત્નથી થતું નથી, કિન્તુ સ્વાભાવિક થાય છે.
જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રોમાં જુદી જુદી દષ્ટિએ અનેક પ્રકારે બતાવવામાં આવ્યો છે. તેમાં ફળની અપેક્ષાએ કર્મબંધના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત.
(i) પૃષ્ઠબંધ– પરસ્પર અડેલી સોયો સમાન. જેમ પરસ્પર અડીને રહેલી સોયોને છૂટી કરવી હોય તો અડવા માત્રથી છૂટી કરી શકાય, વિખેરી શકાય, તેમ કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી પ્રદેશોદયથી ભોગવાઇને આત્માથી છૂટા પડી જાય તેવો બંધ તે સ્પષ્ટબંધ. | (i) બદ્ધબંધ- દોરાથી બંધાયેલી સોયો સમાન. જેમ દોરાથી બંધાયેલી સોયોને છૂટી કરવી હોય તો દોરો છોડવાની જરા મહેનત કરવી પડે. તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો બંધ બદ્ધબંધ.
(ii) નિધતબંધ- દોરાથી બંધાયેલી અને વપરાશ વિના ઘણો ટાઇમ પડી રહેવાથી કટાઈ ગયેલી સોયો સમાન. જેમ આવી સોયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવામાં ઘણી મહેનત કરવી પડે, તેમ કર્યો પોતાનું ઘણું ફળ આપીને જ છૂટાં પડે તેવો બંધ નિધત્તબંધ.
૧. છોડની પાસે સંગીત વગાડાય તો તેમનો ઉછેર ઝડપથી થાય છે, એમ તાજેતરમાં શોધવામાં
આવ્યું છે. (મુંબઈ સમાચાર, તા. ૨૪-૧૦-૧૯૭૬).