________________
૨૦૩
અ૦૫ સૂ૦ ૨૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર રૂપ દેખી શકાય છે. કારણ કે બે વાયુના મિશ્રણથી તે અણુઓ સૂક્ષ્મપણાનો ત્યાગ કરી પૂલ બની જાય છે.
(૧) સ્પર્શના આઠ પ્રકાર છે. કઠીન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. જે દ્રવ્યને ન નમાવી શકાય તે દ્રવ્યનો સ્પર્શ કઠિન. કઠિન
સ્પર્શથી વિપરીત સ્પર્શ મૃદુ. જેના યોગે દ્રવ્ય નીચે જાય તે સ્પર્શ ગુરુ. જેના યોગે દ્રવ્ય પ્રાયઃ તિહુઁ કે ઉપર જાય તે સ્પર્શ લઘુ. જેના યોગે બે વસ્તુઓ ચોંટી જાય તે સ્પર્શ સ્નિગ્ધ, સ્નિગ્ધથી વિપરીત સ્પર્શ રૂક્ષ, શીત એટલે ઠંડો સ્પર્શ. ઉષ્ણ એટલે ગરમ સ્પર્શ. (૨) રસના પાંચ પ્રકાર છે. તિક્ત, કટુ, કષાય (eતૂરો), ખાટો, મધુર. કેટલાક વિદ્વાનો ખારા રસ સહિત છ રસ ગણે છે. કોઈ ખારા રસનો મધુર રસમાં અંતર્ભાવ કરે છે. જ્યારે કોઈક બે રસના સંસર્ગથી ખારો રસ ઉત્પન્ન થાય છે તેમ કહે છે. (૩) ગંધના સુરભિ અને દુરભિ એમ બે ભેદ છે. ચંદન આદિની ગંધ સુરભિ છે, અને લસણ આદિની ગંધ દુરભિ છે. (૪) વર્ણના કૃષ્ણ ( કાળો), નીલ =લીલો), લાલ, પીત (8પીળો) અને શ્વેત (=ધોળો) એમ પાંચ પ્રકાર છે. (૨૩).
પુદ્ગલોના શબ્દાદિ પરિણામોનું વર્ણનરાઉન્ય-સૌમ્ય-સ્થા-સંસ્થાન-એતમરછાયાડડત-શતલાશ્ચ | ઉ-૨૪ ..
પુદ્ગલો શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે, અર્થાત્ શબ્દ આદિ પુદ્ગલના પરિણામો છે.
(૧) શબ્દ– શબ્દ પુદગલનો પરિણામ છે એ વિષે નીચે મુજબ યુક્તિઓ છે. (૧) વાગતા ઢોલની બાજુમાં પડેલા પૈસાના સિક્કા ઢોલના શબ્દથી અથડાઈને દૂર ફેંકાય છે. (૨) જોરદાર શબ્દો કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઈ જાય. (૩) જેમ પથ્થર વગેરેને પર્વતાદિનો પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂવા વગેરેમાં પ્રતિઘાત થાય છે, અને તેથી તેનો પડઘો પડે છે. (૪) વાયુ વડે શબ્દ તૃણની જેમ દૂર દૂર ઘસડાય છે. (૫) પ્રદીપના પ્રકાશની જેમ શબ્દ ચારે તરફ ફેલાય છે. (૬) એક શબ્દ બીજા શબ્દનો અભિભવ કરી શકે છે. અર્થાત્ મોટા શબ્દથી નાના શબ્દનો અભિભવ થઇ જાય છે. આથી જ દૂરથી મોટો અવાજ કાને