________________
૨૦૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૩ (૩) ક્રિયા– ક્રિયા એટલે વ્યાપાર. પ્રયોગથી કે વિસસાથી જીવઅજીવનો પરિણમવા ( તે તે રૂપે થવા) માટે થતો વ્યાપાર તે ક્રિયા.
પ્રયોગથી મેં ઘટ બનાવ્યો, હું ઘટ બનાવું છું, હું ઘટ બનાવીશ.
વિઢસાથી– વિસસા એટલે બીજાની પ્રેરણા વિના સ્વાભાવિક વરસાદ વરસ્યો, વરસાદ વરસે છે, વરસાદ વરસશે.
અહીં કાળ છે તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળનો પ્રયોગ કરી શકાય છે. માટે ક્રિયામાં કાળ નિમિત્ત છે.
(૪) પરવાપરત્વ- પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે. પરવાપરત્વના પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત એમ ત્રણ ભેદ છે. અમુક ધર્મ પર છે શ્રેષ્ઠ છે. અમુક ધર્મ અપર છે=કનિષ્ઠ (-હલકો) છે. જેમ કે જૈનધર્મથી અન્ય ધર્મો કનિષ્ઠ=હલકા છે. આ પરત્વ અને અપરત્વ પ્રશંસાકૃત છે. અમદાવાદથી મહેસાણા પર છે દૂર છે, અમદાવાદથી આણંદ અપર છે=નજીક છે. અહીં પરત્વ અને અપરત્વ ક્ષેત્રકૃત-ક્ષેત્રની અપેક્ષાએ છે. ૧૦ વર્ષના છોકરાથી ૧૬ વર્ષનો છોકરો પર છે મોટો છે. ૧૬ વર્ષના છોકરાથી ૧૦ વર્ષનો છોકરો અપર છેઃનાનો છે. અહીં કાળકૃત કાળની અપેક્ષાએ પરત્વાપરત્વ છે. ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાંથી અહીં કાળકૃત પરવાપરત્વની વિવેક્ષા છે. (૨૨).
પુગલનું લક્ષણ
પર્શ-રસ--વર્જીવન: પુનિાર I -૨રૂ | પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર જે દ્રવ્યમાં હોય તે દ્રવ્ય પગલ છે. સ્પર્શ આદિ ચારેય ગુણો સાથે જ રહે છે. એથી જયાં સ્પર્શ કે અન્ય કોઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણ ગુણો પણ અવશ્ય હોય છે. અન્ય ગુણો અવ્યક્ત હોય તેવું બને, પણ હોય જ નહિ એવું કદી ન બને. જેમ કે-વાયુ, વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ, પણ રૂપને જાણી શકતા નથી. કારણ કે વાયુનું રૂપ એટલું સૂક્ષ્મ છે કે આપણી ચક્ષુમાં તેને જોવાની શક્તિ નથી. પણ જયારે એ જ વાયુ સાયન્ટિફિક પદ્ધતિથી હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે વાયુના મિશ્રણથી પાણી સ્વરૂપ બની જાય છે ત્યારે તેમાં