________________
૧૯૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૦ (૩) અરૂપી વસ્તુ પકડી ન શકાય. પણ શબ્દો તો જેમ કેમેરાથી દશ્યમાન પદાર્થો પકડી શકાય છે સંસ્કારિત કરી શકાય છે, તેમ રેડિયો, ફોનોગ્રાફ આદિમાં શબ્દો પકડી શકાય છે=સંસ્કારિત કરી શકાય છે.
(૪) મન પણ પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી પૌલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મનોવર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલોને મન રૂપે પરિણમાવે છે. અહીં મન રૂપે પરિણમેલા પુદ્ગલદ્રવ્યના આલંબનવાળો જીવનો ચિંતનરૂપ જે વ્યાપાર તે વિચાર છે. અહીં મનરૂપે પરિણમેલા પુદ્ગલદ્રવ્યને આશ્રયીને મન પૌદ્ગલિક છે. આમ મન રૂપે પરિણમેલા પુદ્ગલો એ જ મન છે.
મનના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ભાવમનના લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદ છે. વિચાર કરવાની શક્તિ તે લબ્ધિ રૂપ ભાવમન છે. વિચાર એ ઉપયોગરૂપ ભાવમન છે. વિચાર કરવામાં સહાયક મન રૂપે પરિણમેલા મનોવર્ગણાના પુગલો દ્રવ્યમાન છે. અહીં દ્રવ્યમનને જ પૌલિક કહેવામાં આવ્યું છે. ભાવમનને તો ઉપચારથી જ પૌલિક કહેવામાં આવે છે.
(૫) પ્રાણાપાન( શ્વાસોચ્છવાસ)–જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. બાદ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે, બાદ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા તે પુદ્ગલોને છોડી દે છે. શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા યુગલોને છોડી દેવા એટલે જ પ્રાણાપાનની (=શ્વાસોચ્છવાસની) ક્રિયા કરવી. આમ શ્વાસોચ્છવાસ પણ પુદ્ગલના પરિણામ રૂપ છે.
હાથ વગેરેથી મુખ અને નાકને બંધ કરવાથી શ્વાસોચ્છવાસનો પ્રતિઘાત થાય છે. કંઠમાં કફ ભરાઈ જતાં પણ શ્વાસોચ્છવાસનો અભિભવ થાય છે. માટે શ્વાસોચ્છવાસ પુદ્ગલદ્રવ્ય છે એ સિદ્ધ થાય છે.
આમ શરીર, ભાષા, મન અને પ્રાણાપાન એ ચારેય પુદ્ગલના પરિણામ રૂપ છે, એટલે કે પૌલિક છે. (૧૯)
(૧) સુખ– સુખ એટલે સાતાવેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી, ભોજન, વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા-આનંદ. આ સુખમાં