________________
૧૮૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo૫ સૂ૦ ૬-૭-૮-૯ આકાાદિ દ્રવ્યોમાં નિષ્ક્રિયતાનિયાળા વ -૬ | આકાશ સુધીનાં દ્રવ્યો નિષ્ક્રિયકકિયારહિત છે.
અહીં સામાન્ય ક્રિયાનો નિષેધ નથી, કિંતુ ગતિ રૂપ વિશેષ ક્રિયાનો નિષેધ છે. જેમ જીવો અને પુગલો એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરે છે તેમ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યો એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરતાં નથી. આથી ધર્માસ્તિકાય આદિ ત્રણમાં ગમનાગમન રૂપ ક્રિયાનો અભાવ હોય છે. પણ ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા તો આ ત્રણમાં પણ હોય છે. કારણ કે જૈનદર્શન વસ્તુમાત્રમાં પર્યાયોની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયને માને છે. (૬)
ધર્મ-અધર્મ દ્રવ્યોમાં પ્રદેશોનું પરિમાણअसंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥५-७ ॥ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશો છે.
વસ્તુ સાથે પ્રતિબદ્ધ નિર્વિભાજ્ય સૂક્ષ્મ અંશ પ્રદેશ કહેવાય છે. આવા પ્રદેશો ધર્માસ્તિકાયના અને અધમસ્તિકાયના અસંખ્યાત અસંખ્યાત છે. (૭)
પ્રત્યેક જીવના પ્રદેશોનું પરિમાણકવચ a -૮ | પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે.
જીવો અનંત છે. પ્રત્યેક જીવના પ્રદેશો સમાન અસંખ્યાત છે. અર્થાત્ એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો છે, તેટલા જ અસંખ્યાત પ્રદેશો બીજા જીવના, ત્રીજા જીવના એમ સર્વ જીવોના હોય છે. એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો હોય તેના કરતાં બીજા જીવના અસંખ્યાત પ્રદેશો ઓછા હોય કે વધારે હોય તેમ નથી. એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો છે, તેટલા જ અસંખ્યાત પ્રદેશો ધમસ્તિકાય અને અધમસ્તિકાયના પણ છે. (૮)
આકાશના પ્રદેશોનું પરિમાણ– માથાનતા -૬ . આકાશના અનંત પ્રદેશો છે.
આકાશનાલોકાકાશ અને અલોકાકાશ એમ બે ભેદ છે. અહીં આકાશના અનંત પ્રદેશોનું કથન લોકાકાશ અને અલોકાકાશ ઉભયના સમુદિત પ્રદેશોની