________________
૧૮૬
રીતળાધિગસૂર મિ૦૫૨૦૦-૩ કાળને પણ દ્રવ્ય કહે છે એમ સૂચન કર્યું છે. આથી ગ્રંથકારે કાળનો દ્રવ્યરૂપે સ્વીકાર ક્યું નથી એમ જણાય છે. પ્રસ્તુત ગ્રંથકારે જેમ કાળનો દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર ક્યું નથી તેમ જે કાળને દ્રવ્યરૂપે માને છે તેમની એ માન્યતાનું ખંડન પણ ક્યું નથી. માથી ગ્રંથકાર આ વિષયમાં મધ્યસ્થ રહ્યા હોય એમ જણાય છે. કાળને દ્રવ્ય માનનાર કઈ દષ્ટિએ કાળને દ્રવ્યરૂપે માને છે, અને કાળને દ્રવ્ય નહિ માનનાર એ વિષયમાં કેવી દલીલ કરે છે તેનો વિચાર રાજર એ સૂત્રમાં કરવામાં આવશે. (૧)
ધર્માસ્તિકાય આદિ તત્ત્વોની વિશેષ સંશાદ્રવ્યાપિ પીવાઝ છે પ-૨ છે.
ધમસ્તિકાય, અપમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુત્રવાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્યો છે.
ધમસ્તિકાય આદિ પાંચની દ્રવ્ય એ સામાન્ય સંજ્ઞા છે, અને ધમસ્તિકાયં આદિ વિશેષ સંજ્ઞા છે. દ્રવ્યનું વલણ અર્થાત્ દ્રવ્ય કોને કહેવાય તે મા અધ્યાયના ૩૭મા સૂત્રમાં કહેશે. (૨)
ધમસ્તિકાય આદિ દ્રવ્યોમાં સાધર્મ સમાનતાनित्याऽवस्थितान्यरूपाणि च ॥५-३॥
ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત=સ્થિર છે, તથા પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે.
ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાં નિત્યતા અને અવસ્થિતતાનું તથા પુદ્ગલ સિવાય ચાર દ્રવ્યોમાં અરૂપીપણાનું સાધર્મે સમાનતા છે.
નિત્યતા– જેના ધર્મોનો વિનાશ ન થાય તે નિત્ય. અસ્તિત્વ વગેરે સામાન્ય ધર્મોનો તથા નિમિત્તકારણતા' વગેરે વિશેષ ધર્મોનો કદી વિનાશ ન થતો હોવાથી ધમસ્તિકાય વગેરે પાંચેય દ્રવ્યો નિત્ય છે.
અવસ્થિતતા- જેના ધર્મોનું પરાવર્તન સંક્રમણ ન થાય તે અવસ્થિત. જીવમાં જડના ગુણનું કે જડમાં જીવના ગુણનું પરિવર્તન સંક્રમણ થતું નથી. ૧. જે વસ્તુ કોઈ કાર્યમાં નિમિત્તકારણ બને તે વસ્તુમાં નિમિત્તકારણતા ધર્મ હોય. જેમ કેપ્રસ્તુતમાં ધમસ્તિકાયકવ-પુદ્ગલોની ગતિમાં નિમિત્તકાર ઘેવાથી તેમાં નિમિત્તકરણતા
રૂ૫ વિશેષ ધર્મ છે.