________________
૨૦ ૪ સૂ૦ ૪૫ થી ૫૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર મવનેષુ ચ ॥ ૪-૪ ॥
ભવનપતિ નિકાયના દેવોની પણ જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. (૪૫)
વ્યન્તરાળાં વૈં ॥ ૪-૪૬ ॥
વ્યંતર નિકાયના દેવોની પણ જઘન્યસ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. (૪૬) વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિપણ પલ્યોપમમ્ ॥ ૪-૪૭ ॥
વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. (૪૭) જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ज्योतिष्काणामधिकम् ॥ ४-४८ ॥
૧૮૧
જ્યોતિષ્મ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઇક અધિક એક પલ્યોપમ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાના હોવાથી અહીં સૂર્ય અને ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. સૂર્યની હજાર વર્ષ અધિક એક પલ્યોપમ અને ચંદ્રની લાખ વર્ષ અધિક એક પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૪૮) પ્રજ્ઞાળામેમ્ ॥ ૪-૪૬ ॥
ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. (૪૯) નક્ષત્રાળામઈમ્ ॥ ૪-૬૦ ॥
નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અડધો પલ્યોપમ છે. (૫૦) તારજાળાં ચતુર્ભાગઃ ॥ ૪-૬ ॥
તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પા (ol) પલ્યોપમ છે. (૫૧) જ્યોતિષ્મ દેવોની જઘન્ય સ્થિતિ
जघन्या त्वष्टभागः ॥ ४-५२ ॥
તારાઓની જઘન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે. (૫૨) અંતમાં શેષાળામ્ ॥ ૪-૬૩ ॥
શેષ જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ ૦ (૧/૪) પલ્યોપમ છે.
તારાઓની જઘન્ય સ્થિતિ ઉપરના સૂત્રમાં કહેવાઇ ગઇ છે. આથી જ્યોતિષ્કના સૂર્ય આદિ ચાર ભેદોમાં જધન્ય સ્થિતિની વિચારણા કરવાની રહે છે. જ્યોતિષ્કના ચાર ભેદોમાં પણ સૂર્ય-ચંદ્ર ઇન્દ્રોની, તેમજ ઇન્દ્રાણીઓની અને વિમાનાધિપતિ દેવોની જધન્ય સ્થિતિ નથી, આથી અહીં શેષ તરીકે સૂર્યાદિ ચા૨ના વિમાનોમાં રહેનારા સામાન્ય દેવો સમજવા. (૫૩)